AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: બંગાળમાં સિતરંગ વાવાઝોડાની અસર, અનેક જિલ્લાઓમાં વરસાદ, NDRFની ટીમો તૈનાત

હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે સોમવારે સવારે વાવાઝોડું સાગર દ્વીપથી લગભગ 430 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત હતું. વાવાઝોડાની ગતિ વધુ વધશે અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જેના કારણે પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

West Bengal: બંગાળમાં સિતરંગ વાવાઝોડાની અસર, અનેક જિલ્લાઓમાં વરસાદ, NDRFની ટીમો તૈનાત
Cyclone
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 3:35 PM
Share

પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતા સહિત દક્ષિણી જિલ્લાઓમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો અને ઉત્તર બંગાળની ખાડીમાં સિતરંગનું વાવાઝોડું દરિયાકાંઠાની નજીક આવી રહ્યું હોવાથી દિવસભર ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. આ જોતાં દિવાળીની ઉજવણીમાં ખલેલ પહોંચવાનો ભય ઉભો થયો છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, તોફાન 25 ઓક્ટોબરની વહેલી સવારે બાંગ્લાદેશના તિકોણા અને સંદ્વીપ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને લઈ NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

કેનિંગના સબ-ડિવિઝનલ ઓફિસર એ. ઝિયાએ કહ્યું કે અમે દવાઓ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. અમે સુનિશ્ચિત કરીશું કે કિનારા પર કોઈ હિલચાલ ન થાય અને માછીમારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઈન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. કોલકાતા NDRF અધિકારીએ જણાવ્યું કે સિતરંગ ચક્રવાત પહેલા વહીવટીતંત્રે NDRF ટીમોને ગંગાસાગર, ડાયમંડ હાર્બર, કાકદ્વીપ, ગોસાબામાં બચાવ કામગીરી હાથ ધરવા માટે એલર્ટ મોડ પર મૂકી દીધી છે.

110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવારે સવારે વાવાઝોડું સાગર દ્વીપથી લગભગ 430 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત હતું. વાવાઝોડાની ગતિ વધુ વધશે અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જેના કારણે દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના અને મિદનાપુર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ અને 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વરસાદી ઝાપટા પડી શકે છે. પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

મંગળવારે મુશળધાર વરસાદની આગાહી

તેમણે કહ્યું કે આ વાવાઝોડાને કારણે ઉત્તર 24 પરગના અને દક્ષિણ 24 પરગનામાં મંગળવારે પણ મુશળધાર વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે કોલકાતા અને તેની નજીકના હાવડા અને હુગલી જિલ્લામાં પણ સોમવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. કોલકાતામાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા રાખી શકાય છે. આ સમય દરમિયાન માછીમારોને 24 અને 25 ઓક્ટોબરના રોજ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">