AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના પાંચ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, બંગાળમાં દિવાળી પર ‘સિતરંગ’ વાવાઝોડાનો ખતરો

સ્કાયમેટના (Skymet) જણાવ્યા અનુસાર, વાવાઝોડાના (cyclone) કારણે ઘણા વિસ્તારોમાં તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ એજન્સી અનુસાર, આ વાવાઝોડાની ઝડપ 80 થી 90 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

દેશના પાંચ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, બંગાળમાં દિવાળી પર 'સિતરંગ' વાવાઝોડાનો ખતરો
બાંગ્લાદેશ તરફ આગળ વધતુ વાવાઝોડુ ' 'સિતરંગ'
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 11:43 AM
Share

આજે દેશભરમાં દિવાળીની (Diwali 2022) ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. દિવાળી પર પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન સિત્રાંગ તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલમાં બંગાળની ખાડી ઉપર દબાણ સર્જાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંતોના મતે, આ દબાણ ધીમે ધીમે ઉત્તર-પૂર્વ તરફ જશે અને વાવાઝોડામાં (cyclone) ફેરવાશે. 25 ઓક્ટોબરે આ વાવાઝોડુ બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરશે. બાંગ્લાદેશમાં, તે ટીનાકોના ટાપુ અને સાન ટાપુમાંથી પસાર થશે. સ્થિતિને જોતા હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે.

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારોમાં તેજ પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.સ્કાયમેટ એજન્સી અનુસાર, આ વાવાઝોડાની ઝડપ 80 થી 90 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. આજે એટલે કે 24 ઓક્ટોબરે આ તોફાન વધુ તીવ્ર બનશે અને તે ગંગીય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, રવિવાર સાંજથી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદથી થોડી રાહત થશે, પરંતુ આ જ વરસાદ બંગાળમાં તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડાને કારણે તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અસરગ્રસ્ત વિસ્તારો માટે એલર્ટ જાહેર

હવામાન વિભાગે આ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખીને સંબંધિત નાગરિક એજન્સીઓએ રાહત કાર્યની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને સંબંધિત જિલ્લાઓમાં આપત્તિ રાહત ટીમોને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત આપવાના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

ઉત્તર ભારત તટસ્થ રહેશે

આ ચક્રવાતી તોફાનના કારણે ઉત્તર ભારતનો વિસ્તાર તટસ્થ રહેશે. અહીંની હવાની ગુણવત્તા પહેલાથી જ ખરાબ છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અન્ય વિસ્તારોમાં પ્રદૂષણ વધુ વધવાની આશંકા છે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની સંભાવના છે.

દિલ્હીમાં પ્રદૂષણ વધશે

સ્કાયમેટના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજથી હવાનું દબાણ ઓછું રહેશે. પવનની મહત્તમ ઝડપ 5 કિમી પ્રતિ કલાક રહી શકે છે. જ્યારે પ્રદૂષણ દૂર કરવા માટે ઓછામાં ઓછી 10 કિમી પ્રતિ કલાકની ઝડપ જરૂરી છે. આવી સ્થિતિમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ જમા થશે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">