AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamata Banerjee ફરી આપ્યો ‘खेला होबे’ નો નારો, દાવો કર્યો કે ભાજપ હવે આખા દેશમાં હારશે

સીએમ મમતા બેનર્જીએ કોલકાતાના ફુલબાગનમાં એક રેલીમાં કહ્યું કે હું 2024ની ચૂંટણીમાં ભાજપને દેશમાં હારતી જોવા માંગુ છું. ગોવાની બે દિવસની મુલાકાતથી પરત ફર્યા બાદ બેનર્જીનો આ પ્રથમ જાહેર કાર્યક્રમ હતો.

Mamata Banerjee ફરી આપ્યો 'खेला होबे' નો નારો, દાવો કર્યો કે ભાજપ હવે આખા દેશમાં હારશે
મમતા બેનર્જી (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 8:31 AM
Share

Mamata Banerjee : પશ્ચિમ બંગાળ(West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી(CM Mamata Banerjee)એ બુધવારે દાવો કર્યો હતો કે 2024માં યોજાનારી આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha elections)માં ભારતીય જનતા પાર્ટી (BJP)નો પરાજય થશે. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)માં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની જીત વિશે વાત કરી અને કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપની હાર થશે.

મમતા બેનર્જીએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન અમે રાજ્યમાં ભાજપ (BJP) દ્વારા ચલાવવામાં આવેલ પ્રચાર જોયો છે. દરેક જણ તેનાથી ડરતા હતા. પરંતુ રાજ્યની જનતાએ તેને હરાવ્યો. બંગાળ સાંપ્રદાયિક સૌહાર્દનું સ્થળ છે. બંગાળ આજે જે વિચારે છે, ભારત કાલે વિચારે છે. અમે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીશું. વિધાનસભાની ચૂંટણી (Assembly elections) માટે અમે જે કર્યું છે તેવું જ હશે. તૃણમૂલ કોંગ્રેસના વડાએ 19 ડિસેમ્બરે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC)ની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન આ વાત કહી હતી.

મારો ઉદ્દેશ્ય રોજગારી ઉભી કરવાનો છેઃ સીએમ મમતા બેનર્જી

તેણે કોલકાતાના ફૂલબાગનમાં એક રેલીમાં વધુમાં કહ્યું કે હું 2024ની ચૂંટણીમાં ભાજપને દેશભરમાં હારતી જોવા માંગુ છું. ગોવાની બે દિવસની મુલાકાતેથી પરત ફર્યા બાદ બેનર્જીનો આ પ્રથમ જાહેર કાર્યક્રમ હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ઉદ્યોગ લાવવાનો અને રોજગારી ઉભી કરવાનો છે. બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. ગોવા ઉપરાંત પાર્ટી ત્રિપુરા પર પણ ફોકસ કરી રહી છે.

ભાજપે સીએમ બેનર્જીના દાનને નકારી કાઢ્યું

ગોવા અને ત્રિપુરામાં અનુક્રમે 2022 અને 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, ભાજપે આગામી સામાન્ય ચૂંટણીઓ અંગે બેનર્જીના દાવાઓને ફગાવ્યા છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજમુદારે કહ્યું કે તેમણે 2014 અને 2019માં પણ આવી જ વાતો કહી હતી અને આપણે બધાએ પરિણામો જોયા છે.

તૃણમૂલ કોંગ્રેસે આ વર્ષની શરૂઆતમાં કોરોના વાયરસની બીજી લહેરની ટોચ દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. બેનર્જીની પાર્ટીએ 294 માંથી 213 બેઠકો જીતીને હેટ્રિક બનાવી અને ભારતના પૂર્વ કિનારે પગ જમાવવાની ભાજપની આશાઓ પર પાણી ફરી વળ્યું.

ટીએમસીને પેટા ચૂંટણીમાં પણ સફળતા મળી હતી

ભાજપે 77 બેઠકો અને 38.1 ટકા વોટ શેર જીતીને વિધાનસભા ચૂંટણીમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. આ 2019ની લોકસભાની કામગીરી કરતાં વધુ સારી ન હતી, જ્યારે ભાજપે 40 ટકા વોટ શેર સાથે 121 બેઠકો જીતી હતી. ઓક્ટોબર પેટાચૂંટણીમાં, તૃણમૂલ કોંગ્રેસે ત્રણેય બેઠકો- ભવાનીપુર, જાંગીપુર અને સમસેરગંજ જીતીને ભાજપને ફરી એક ઝટકો આપ્યો હતો.

આ પણ વાંચો : Happy Birthday Harshdeep Kaur: સૂફી ગીતોથી લોકોને દિવાના બનાવનાર હર્ષદીપ કૌરના જન્મદિવસ પર જાણો તેમની સાથે જોડાયેલી વાતો

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">