Birbhum Violence: બીરભૂમ હત્યાકાંડ એક મોટું કાવતરું, બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે: મમતા બેનર્જી

તેમણે કહ્યું કે તેમની સરકાર સીબીઆઈ તપાસનું સ્વાગત કરે છે, પરંતુ જો સીબીઆઈ ભાજપ અને સીપીએમના ઈશારે કામ કરશે તો તેની સામે આંદોલન થશે.

Birbhum Violence: બીરભૂમ હત્યાકાંડ એક મોટું કાવતરું, બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે: મમતા બેનર્જી
Mamata Banerjee In Silliguri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 4:46 PM

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) બીરભૂમ હિંસા (Birbhum Violence) અંગે મોટું નિવેદન આપ્યું છે. ઉત્તર બંગાળના પ્રવાસ દરમિયાન સિલીગુડીમાં એક સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે બીરભૂમની ઘટના દુઃખદ છે. રાજ્ય સરકારે કાર્યવાહી હાથ ધરી છે. OC અને SDPOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ જે રીતે આ ઘટનાને વિસ્તૃત કરવામાં આવી રહી છે તે જોતા લાગે છે કે બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું લાગે છે કે આ હત્યાકાંડ એક મોટું ષડયંત્ર હતું, જેથી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, દવાના ભાવ વધારાનો વિરોધ ન થાય. લોકોનું ધ્યાન હટાવવા માટે આ કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે તેમની સરકાર સીબીઆઈ તપાસનું સ્વાગત કરે છે, પરંતુ જો સીબીઆઈ ભાજપ અને સીપીએમના ઈશારે કામ કરશે તો તેની સામે આંદોલન થશે. મમતા બેનર્જીએ કહ્યું કે તેને ગમે તેટલા અપશબ્દો કહેવામાં આવે, પરંતુ જો બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે તેનો જવાબ આપશે.

આગમાં ઘી રેડવામાં આવી રહ્યું છે

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેટલાક લોકો આગમાં ઘી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે, તે પણ ટીએમસીનો હતો અને જેણે હત્યા કરી છે તે પણ ટીએમસીનો છે. જે ઘરમાં આગ લાગી હતી, તે પણ ટીએમસી નેતાનું હતું. હત્યા બાદ પોલીસના OC અને SDPOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તૃણમૂલ બ્લોક અધ્યક્ષની ધરપકડ કરવામાં આવી છે. 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિતોને આર્થિક મદદ કરવામાં આવી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઉન્નાવ અને લખીમપુર કેસમાં સીબીઆઈ તપાસ કેમ ન થઈ?

મમતા બેનર્જીએ કહ્યું કે ઉન્નાવમાં એક છોકરી જુબાની આપીને જતી રહી હતી. લઘુમતી મહિલાને સળગાવી દેવામાં આવી હતી. લખીમપુરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. મંત્રીના પુત્રએ વાહન ચલાવીને હત્યા કરી. આસામ અને દિલ્હીમાં NCR અને NPR દરમિયાન કેટલા લોકોના મોત થયા? કર્ણાટકમાં જે ઘટના બની, શું તે ઘટનાઓની સીબીઆઈ તપાસ થઈ છે?

તેમણે કહ્યું કે બીરભૂમની ઘટના એક મોટું ષડયંત્ર છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. સીબીઆઈ તપાસનો આદેશ આપીને સારું કર્યું. રાજ્ય સરકાર સીબીઆઈને સહકાર આપશે, પરંતુ જો સીબીઆઈ ભાજપ અને સીપીએમના ઈશારે કામ કરશે તો તેની સામે આંદોલન થશે.

આ પણ વાંચો : શિવસેનાના નેતાના ઘરે પાડેલા દરોડામાં, IT ના અધિકારીને મળી ડાયરી, ‘માતોશ્રી’ને 2 કરોડ રોકડા અને 50 લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ

આ પણ વાંચો : મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા, 11 વર્ષ જૂના કેસમાં ઈન્દોર કોર્ટેનો આદેશ

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">