શિવસેનાના નેતાના ઘરે પાડેલા દરોડામાં, IT ના અધિકારીને મળી ડાયરી, ‘માતોશ્રી’ને 2 કરોડ રોકડા અને 50 લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ

આવકવેરા વિભાગે શિવસેનાના નેતા યશવંત જાધવને ડાયરી અંગે પૂછપરછ કરી તો યશવંત જાધવે ચતુરાઈથી માતોશ્રીનો અર્થ માતા કહી દીધો. એટલે કે, તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તેમણે આ ભેટો તેની માતાના નામે આપી છે. પરંતુ આવકવેરા વિભાગ આ જવાબથી સંતુષ્ટ થશે, તેવી શક્યતા ઓછી છે.

શિવસેનાના નેતાના ઘરે પાડેલા દરોડામાં, IT ના અધિકારીને મળી ડાયરી, 'માતોશ્રી'ને 2 કરોડ રોકડા અને 50 લાખની ઘડિયાળ આપવાનો ઉલ્લેખ
Yashwant Jadhav ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 3:59 PM

આવકવેરા વિભાગે શિવસેનાના (Shiv Sena) નેતા અને BMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘર પર દરોડા (IT RAID) પાડ્યા હતા. આ દરોડામાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો બહાર આવ્યા હતા. આ દરોડા દરમિયાન IT ટીમને એક ડાયરી પણ મળી આવી હતી. હવે આવકવેરા વિભાગે આ ડાયરી અંગે નવો ખુલાસો કર્યો છે. આ ડાયરીમાં ‘માતોશ્રી’ને (Matoshree) 50 લાખ રૂપિયાની ઘડિયાળ અને 2 કરોડ રૂપિયા રોકડા ભેટમાં આપવાનો ઉલ્લેખ છે. અત્રે ઉલ્લેખનીય કે ‘માતોશ્રી’ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાનનું નામ છે. આવકવેરા વિભાગના (Income tax department) સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ડાયરીમાં ગુડી પડવાના તહેવાર પર આ ભેટ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જ્યારે આવકવેરા વિભાગે યશવંત જાધવને આ અંગે પૂછપરછ કરી તો યશવંત જાધવે ચતુરાઈથી માતોશ્રીનો અર્થ માતા કહી દીધો. એટલે કે, તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે તેમણે આ ભેટ તેની માતાને આપી છે. પરંતુ આવકવેરા વિભાગ આ જવાબથી સંતુષ્ટ થશે, તેવી શક્યતા ઓછી છે. આવકવેરા વિભાગ દ્વારા આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

’24 મહિનામાં 38 મિલકતો ખરીદી, કોરોનાના સમયગાળામાં ઘણો ભ્રષ્ટાચાર થયો’

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ‘આવકવેરા આ અંગે તપાસ કરી રહ્યું છે. હું આ અંગે ટિપ્પણી કરીશ નહીં. તેણે 24 મહિનામાં 38 પ્રોપર્ટી ખરીદી છે. કોવિડના સમયગાળા દરમિયાન અમે જે આરોપ લગાવ્યા હતા, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવી રીતે લૂંટ શરૂ થઈ તે આજે સાચો સાબિત થઈ રહ્યો છે. અમને વિશ્વાસ છે કે આવકવેરા વિભાગ યોગ્ય દિશામાં તપાસ કરશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કિરીટ સોમૈયા અને અતુલ ભાટખાલકરે ED તપાસની માંગ કરી છે

દરમિયાન ભાજપના નેતા કિરીટ સોમૈયા અને અતુલ ભાટખાલકરે આ મામલે ED તપાસની માંગ કરી છે. EDની તપાસની માંગ કરતા અતુલ ભાટખાલકરે TV9 Bharatvarsh Digital સાથે વાત કરતા કહ્યું કે જનતાના લૂંટાયેલા પૈસા પરત કરવા જોઈએ. જો ED દ્વારા તપાસ કરવામાં નહીં આવે અને જનતાના પૈસા પરત નહીં કરવામાં આવે તો ભાજપ તેની સામે આંદોલન કરશે.

કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર આક્ષેપો કર્યા હતા

જાન્યુઆરીમાં કિરીટ સોમૈયાએ યશવંત જાધવ પર કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં કોવિડ સેન્ટર બનાવવાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સોમૈયાએ જાધવ પર મની લોન્ડરિંગનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે આવકવેરા વિભાગને પુરાવા આપવાની વાત પણ કરી હતી.

યશવંત જાધવ કેસમાં BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ

દરમિયાન, આવકવેરા વિભાગે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પણ નોટિસ મોકલી છે. યશવંત જાધવ કેસમાં નોટિસ મોકલવામાં આવી છે. આ પહેલા પણ 10 માર્ચ 2022ના રોજ ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલવામાં આવી હતી. ચહલે પણ તેનો જવાબ આપ્યો છે. એક દિવસ પહેલા બીજેપી નેતા મોહિત કંબોજે પણ BMC કમિશનર પર આરોપ લગાવ્યો હતો કે તેણે અમેરિકામાં પ્રોપર્ટી બનાવી છે. ચહલે, મોહિંત કંબોજના આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે અમેરિકામાં તેમની કોઈ મિલકત નથી.

આ પણ વાંચોઃ

Odisha: ભારતની તાકાતમાં વધારો, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું સફળ પરીક્ષણ

આ પણ વાંચોઃ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને જોડવા શા માટે આતુર ?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">