AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જણાવ્યું કે ક્યારે લાગુ કરવામાં આવશે CAA

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું કે પશ્ચિમ બંગાળના માતુઆ સમુદાય સહિત સીએએ હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયા કોવિડ -19ના રસીકરણ પછી શરૂ થશે.

પશ્ચિમ બંગાળમાં અમિત શાહે જણાવ્યું કે ક્યારે લાગુ કરવામાં આવશે CAA
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 11, 2021 | 10:50 PM
Share

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગુરુવારે કહ્યું કે પશ્ચિમ બંગાળના માતુઆ સમુદાય સહિત સીએએ હેઠળ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયા કોવિડ -19ના રસીકરણ પછી શરૂ થશે. તેમણે સુધારેલા નાગરિકત્વ કાયદા અંગે લઘુમતી સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા કહ્યું કે તેના અમલીકરણથી ભારતીય લઘુમતીઓની નાગરિકતાને અસર નહીં થાય.

અમિત શાહે કહ્યું કે મોદી સરકારે 2018માં વચન આપ્યું હતું કે તે એક નવો નાગરિકત્વ કાયદો લાવશે અને 2019માં ભાજપ સત્તામાં આવતાની સાથે જ આ વચન પૂરું થયું હતું. તેમણે કહ્યું કે 2020માં કોવિડ -19 રોગચાળાને કારણે તેનો અમલ થઈ શક્યો નથી. તેમણે કહ્યું, ‘મમતા દીદીએ કહ્યું કે અમે ખોટું વચન આપ્યું છે. તે સીએએનો વિરોધ કરવાનું શરૂ કરે છે અને કહે છે કે તે તેને ક્યારેય અમલમાં મૂકવા દેશે નહીં. ભાજપ હંમેશાં પોતાના વચનો પૂરાં કરે છે. અમે આ કાયદો લાવ્યો છે અને શરણાર્થીઓને નાગરિકત્વ મળશે.

માતુઆ સમુદાયના એક રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, ‘કોવિડ -19 રસીકરણની પ્રક્રિયા પૂર્ણ થતાં જ સીએએ હેઠળ નાગરિકત્વ આપવાની પ્રક્રિયા શરૂ થશે. માતુઆ મૂળ પાકિસ્તાનના નબળા વર્ગનો હિન્દુ વર્ગ છે, જે ભાગલા પછી અને બાંગ્લાદેશની રચના બાદ ભારત આવ્યા હતા. તેમાંથી ઘણાને ભારતીય નાગરિકત્વ મળ્યું છે, પરંતુ મોટી વસ્તીને નાગરિકત્વ મળ્યું નથી. શાહે કહ્યું કે, મમતા બેનર્જી ચૂંટણી બાદ સીએએના અમલીકરણનો વિરોધ કરવાની સ્થિતિમાં નહીં હોઈ અને તે મુખ્યપ્રધાન નહીં બને.

આ પણ વાંચો: FARMER PROTEST: ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવાનો બ્રિટનનો ઈનકાર, કહ્યું ભારત સૌથી નજીકનો મિત્ર દેશ

g clip-path="url(#clip0_868_265)">