AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: વિક્રમ દેવ દત્ત બન્યા એર ઇન્ડિયાના ચેરમેન અને MD, મોટા સરકારી ફેરબદલમાં લેવાયો નિર્ણય

વરિષ્ઠ અધિકારી વિક્રમ દેવ દત્તની મંગળવારે એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રેન્કિંગ મુજબ, દત્ત હવે એર ઈન્ડિયાના વડા હશે અને તેમના હાથમાં તમામ કામકાજની જવાબદારી રહેશે.

Air India: વિક્રમ દેવ દત્ત બન્યા એર ઇન્ડિયાના ચેરમેન અને MD, મોટા સરકારી ફેરબદલમાં લેવાયો નિર્ણય
Air india (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 8:36 PM
Share

દેશના વરિષ્ઠ અધિકારીઓમાંના એક અને વરિષ્ઠ અમલદાર વિક્રમ દેવ દત્તની એર ઈન્ડિયા (Air India MD) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મંગળવારે એર ઈન્ડિયાના વરિષ્ઠ સ્તરે અમલદારશાહીમાં ફેરબદલ કરવામાં આવ્યો. સરકારી દેખરેખ હેઠળ આ ફેરબદલ પછી, વિક્રમ દેવ દત્તને (Vikram Dev Dutt) એર ઈન્ડિયાના સૌથી અગ્રણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરીને ટાટા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.

વિક્રમ દેવ દત્ત એક વરિષ્ઠ અમલદાર છે જેમની ગણના દેશના વરિષ્ઠ અધિકારીઓમાં થાય છે. મંગળવારે તેમની એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રેન્કિંગ મુજબ, દત્ત હવે એર ઈન્ડિયાના વડા હશે અને તેમના હાથમાં તમામ કામકાજની જવાબદારી રહેશે. તેમની નિમણૂક અધિક સચિવના પગાર પર કરવામાં આવી છે. આ આદેશ કેન્દ્ર સરકારના પર્સનલ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય એક મોટા સરકારી નિર્ણયમાં, ચંચલ કુમારને નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંચલ કુમાર 1992 બેચના IAS અધિકારી છે. ચંચલ કુમાર હાલમાં બિહારના કેડર રાજ્યમાં જ પોસ્ટેડ છે.

વિક્રમ દેવ દત્ત AGMUT (અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશો) કેડરના 1993 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. કર્મચારી મંત્રાલય અને પર્સનલ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દત્તને એર ઈન્ડિયા લિમિટેડમાં એડિશનલ સેક્રેટરીના સ્તર અને પગાર પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો –

Corona India Update: કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના સંબધિત જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપી

આ પણ વાંચો –

નથી સુધરી રહ્યુ ચીન, પેંગોંગ લેક પાસે બનાવી રહ્યુ છે ગેરકાયદેસર પુલ, સેટેટાઇટ તસવીરોએ ખોલી પોલ

આ પણ વાંચો –

UP Assembly Election: મમતા બેનર્જી 8 ફેબ્રુઆરીએ લખનૌમાં અખિલેશ સાથે સભા કરશે, સમાજવાદી પાર્ટીને આપશે સમર્થન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">