Air India: વિક્રમ દેવ દત્ત બન્યા એર ઇન્ડિયાના ચેરમેન અને MD, મોટા સરકારી ફેરબદલમાં લેવાયો નિર્ણય

વરિષ્ઠ અધિકારી વિક્રમ દેવ દત્તની મંગળવારે એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રેન્કિંગ મુજબ, દત્ત હવે એર ઈન્ડિયાના વડા હશે અને તેમના હાથમાં તમામ કામકાજની જવાબદારી રહેશે.

Air India: વિક્રમ દેવ દત્ત બન્યા એર ઇન્ડિયાના ચેરમેન અને MD, મોટા સરકારી ફેરબદલમાં લેવાયો નિર્ણય
Air india (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 8:36 PM

દેશના વરિષ્ઠ અધિકારીઓમાંના એક અને વરિષ્ઠ અમલદાર વિક્રમ દેવ દત્તની એર ઈન્ડિયા (Air India MD) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મંગળવારે એર ઈન્ડિયાના વરિષ્ઠ સ્તરે અમલદારશાહીમાં ફેરબદલ કરવામાં આવ્યો. સરકારી દેખરેખ હેઠળ આ ફેરબદલ પછી, વિક્રમ દેવ દત્તને (Vikram Dev Dutt) એર ઈન્ડિયાના સૌથી અગ્રણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરીને ટાટા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.

વિક્રમ દેવ દત્ત એક વરિષ્ઠ અમલદાર છે જેમની ગણના દેશના વરિષ્ઠ અધિકારીઓમાં થાય છે. મંગળવારે તેમની એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રેન્કિંગ મુજબ, દત્ત હવે એર ઈન્ડિયાના વડા હશે અને તેમના હાથમાં તમામ કામકાજની જવાબદારી રહેશે. તેમની નિમણૂક અધિક સચિવના પગાર પર કરવામાં આવી છે. આ આદેશ કેન્દ્ર સરકારના પર્સનલ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય એક મોટા સરકારી નિર્ણયમાં, ચંચલ કુમારને નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચંચલ કુમાર 1992 બેચના IAS અધિકારી છે. ચંચલ કુમાર હાલમાં બિહારના કેડર રાજ્યમાં જ પોસ્ટેડ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વિક્રમ દેવ દત્ત AGMUT (અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશો) કેડરના 1993 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. કર્મચારી મંત્રાલય અને પર્સનલ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દત્તને એર ઈન્ડિયા લિમિટેડમાં એડિશનલ સેક્રેટરીના સ્તર અને પગાર પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો –

Corona India Update: કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના સંબધિત જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપી

આ પણ વાંચો –

નથી સુધરી રહ્યુ ચીન, પેંગોંગ લેક પાસે બનાવી રહ્યુ છે ગેરકાયદેસર પુલ, સેટેટાઇટ તસવીરોએ ખોલી પોલ

આ પણ વાંચો –

UP Assembly Election: મમતા બેનર્જી 8 ફેબ્રુઆરીએ લખનૌમાં અખિલેશ સાથે સભા કરશે, સમાજવાદી પાર્ટીને આપશે સમર્થન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">