AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona India Update: કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના સંબધિત જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપી

દેશમાં કોરોના મહામારીને (Corona Pandemic) જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો ન કરવાની સલાહ આપવામાં આવી છે.

Corona India Update: કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના સંબધિત જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપી
Corona Cases In India - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 7:35 PM
Share

દેશમાં કોરોના મહામારીને (Corona Pandemic) જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો ન કરવાની સલાહ આપવામાં આવી છે. ICMRના પ્રસ્તાવ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આ સલાહ આપી છે. તમામ રાજ્યોને જરૂરી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. પત્રમાં રાજ્યોને કોવિડ મેનેજમેન્ટ માટે પૂરતા સ્ટાફ, ડોકટરો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડ મોનિટરિંગ વગેરે જેવી સુવિધાઓ સાથે જિલ્લા અને ઉપ-જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવે તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને કંટ્રોલ રૂમમાં ડોક્ટર, કાઉન્સેલર અને સ્વયંસેવકોને તૈનાત કરવા જણાવ્યું છે. આ ઉપરાંત એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં સંપર્ક કરવા પર લોકો સરળતાથી મદદ મેળવી શકે છે.

કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે કોરોનાના પરીક્ષણ માટે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા અંગેનો વાસ્તવિક સમયનો ડેટા કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ હોવો જોઈએ. એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ બુકિંગની સમગ્ર પ્રક્રિયા લોકોને સમજાવવી જોઈએ. આ સિવાય કંટ્રોલ રૂમને આખા વિસ્તારમાં ખાલી બેડ વિશે અપડેટ રાખો. કંટ્રોલ રૂમ એ કોરોના પીડિતોના સંપર્કમાં હોવા જોઈએ જેઓ હોમ આઈસોલેશનમાં છે. કંટ્રોલ રૂમના સભ્યો દર્દીઓને ફોન કરીને તેમના વિશે માહિતી લેતા હતા.

આરોગ્ય મંત્રીની લોકોને અપીલ

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દરેકને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા કહ્યું છે. તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત મળી આવેલા ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે દર્દીઓની સેવા કરતી વખતે અમારા ઘણા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે.

AIIMS ના ડાયરેક્ટર જનરલ ડૉ. રણદીપ ગુલેરિયાએ કોરોના રોગચાળા વિશે કહ્યું છે કે યોગ્ય રીતે માસ્ક પહેરવું, હાથ ધોવા, ભીડથી દૂર રહેવું અને રસીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગભરાશો નહીં, આ એક હળવો રોગ છે, પરંતુ આપણે સાવચેત રહેવાની જરૂર છે.

ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,86,761 લોકોના મોત થયા

તમને જણાવી દઈએ કે ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 2,38,018 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,76,18,271 થઈ ગઈ છે અને ઓમિક્રોનના 8,891 કેસ નોંધાયા છે. કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 17,36,628 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાથી મૃત્યુઆંક વધીને 4,86,761 થઈ ગયો છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 94.09 ટકા થયો છે.

આ પણ વાંચો : કોરોનાની સારવાર અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નવી માર્ગદર્શિકા, જાણો ગાઈડલાઈન્સમાં શું ફેરફાર થયા

આ પણ વાંચો : UP Assembly Election: મમતા બેનર્જી 8 ફેબ્રુઆરીએ લખનૌમાં અખિલેશ સાથે સભા કરશે, સમાજવાદી પાર્ટીને આપશે સમર્થન

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">