AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી કેસમાં 12 સપ્ટેમ્બરે ચુકાદો, એલર્ટ મોડ પર વારાણસી પોલીસ

વારાણસી પોલીસ (Varanasi Police) કમિશનરે કહ્યું કે તમામ સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર શહેર 24 કલાક કંટ્રોલ રૂમ દ્વારા દેખરેખ હેઠળ છે. કોઈપણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે વારાણસી પોલીસ કમિશનર વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.

જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી કેસમાં 12 સપ્ટેમ્બરે ચુકાદો, એલર્ટ મોડ પર વારાણસી પોલીસ
Gyanvapi Masjid
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 5:42 PM
Share

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી કેસનો (Gyanvapi Masjid) ચુકાદો 12 સપ્ટેમ્બરે આવશે. નિર્ણય આવે તે પહેલા વારાણસી પોલીસ (Varanasi Police) કમિશનરેટ એલર્ટ પર છે. સોશિયલ મીડિયા પોસ્ટ અને સમગ્ર શહેર પર કંટ્રોલ રૂમમાંથી 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આઈબી, એટીએસ અને અન્ય ગુપ્તચર વિભાગોએ પણ શહેરમાં ધામા નાખ્યા છે. વારાણસી પોલીસ કમિશ્નરે સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટનો શિકાર ન બને જે ધાર્મિક ઉન્માદ ફેલાવતી હોય.

તેની સામે તરત જ કંટ્રોલ રૂમને જાણ કરો અથવા તમારા નજીકના પોલીસ હેલ્પ સેન્ટરને જાણ કરો અથવા તમે માત્ર 112 ડાયલ કરીને સૂચના આપી શકો છો. તેમને કહ્યું કે તમામ સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર શહેર 24 કલાક કંટ્રોલ રૂમ દ્વારા દેખરેખ હેઠળ છે. કોઈપણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે વારાણસી પોલીસ કમિશનર વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.

12 સપ્ટેમ્બર સુધી નિર્ણય સુરક્ષિત

જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી વિવાદ કેસમાં કોર્ટે 12 સપ્ટેમ્બર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બંને પક્ષોની સુનાવણી પૂરી થઈ ગઈ છે. આ પહેલા કોર્ટને મસ્જિદ પક્ષ દ્વારા સતત આગામી તારીખ માંગવાથી વારાણસીના જિલ્લા જજ ગુસ્સે ભરાયા હતા. પરંતુ કોર્ટ પાસે સમય માંગવા પાછળનું કારણ એડવોકેટ અભય નાથ યાદવના આકસ્મિક નિધનને કારણે તૈયારીઓ પૂરી ન થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે એડવોકેટ અભયનાથ યાદવનું હાર્ટ એટેકના કારણે અચાનક નિધન થયું હતું. મસ્જિદ તરફથી શમીમ અહેમદ અને યોગેન્દ્ર પ્રસાદ સિંહ ઉર્ફે મધુ બાબુને નવા વકીલોની નિમણૂક કરવામાં આવી હતી.

કોર્ટે આપ્યો હતો સર્વે કરવાનો આદેશ

કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લઈને અડધો ડઝનથી વધુ કેસ અલગ અલગ કોર્ટમાં પેન્ડિંગ છે. પરંતુ આ કેસમાં તત્કાલીન સિવિલ જજ રવિકુમાર દિવાકરે સર્વેનો આદેશ જાહેર કર્યો હતો. આ પછી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે બાદ મસ્જિદના બાજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે તેને ફુવારો ગણાવ્યો હતો. આ મામલામાં વિવાદ એટલો વધી ગયો કે સર્વેની વિરુદ્ધ અંજુમન ઈન્તેજામિયા કમિટી સુપ્રીમ કોર્ટમાં ગઈ.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">