Ayodhya Terror Alert: અયોધ્યામાં હાઈ એલર્ટ, બોમ્બ બ્લાસ્ટની ધમકી બાદ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક અજાણ્યા વ્યક્તિએ ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 112 સેવા પર ફોન કર્યો અને કહ્યું કે અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

Ayodhya Terror Alert: અયોધ્યામાં હાઈ એલર્ટ, બોમ્બ બ્લાસ્ટની ધમકી બાદ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો
Ayodhya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 4:38 PM

ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 112 સેવા પર અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની (Ayodhya Bomb Blast) ધમકી મળી છે. સમાચાર મળતા જ પોલીસ વિભાગ (Police Department) સતર્ક થઈ ગયું છે અને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અયોધ્યાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વિભાગને સાવચેતી તરીકે એલર્ટ કરવામાં આવ્યું છે. પોલીસે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો ઉપરાંત પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાળાઓ પર સુરક્ષા વધારી દીધી છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ એક અજાણ્યા વ્યક્તિએ ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 112 સેવા પર ફોન કર્યો અને કહ્યું કે અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ કોલ મળ્યા બાદ ડાયલ 112 પર તૈનાત કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલાની જાણકારી આપી. આ પછી અયોધ્યામાં સુરક્ષા અધિકારીઓ સતર્ક થઈ ગયા છે.

બ્લેક કેટ કમાન્ડોની ટુકડી રામ જન્મભૂમિ વિસ્તારમાં તૈનાત પોલીસે રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો ઉપરાંત પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાળાઓ પર સુરક્ષા વધારી દીધી છે. શહેરના તમામ મંદિરોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રામ જન્મભૂમિ (Ram Janmabhoomi) વિસ્તારમાં બ્લેક કેટ કમાન્ડોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. અયોધ્યાના તમામ જગ્યાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષકે પણ અયોધ્યાની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

હનુમાન મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી હતી આ પહેલા જુલાઈમાં રાજધાની લખનૌના અલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરમાં (Hanuman Temple) ધમકીનો પત્ર મળ્યો હતો. જેમાં હનુમાન મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખનૌમાં પકડાયેલા આતંકીઓને 14 ઓગસ્ટ પહેલા છોડી દેવાની માગ કરવામાં આવી હતી. પત્રમાં RSS કાર્યાલય અને વરિષ્ઠ અધિકારીઓને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી.

અયોધ્યા સહિત 46 રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી ગયા મહિને, યુપી પોલીસને ગુપ્તચર ચેતવણી મળી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામે મળેલા ધમકીભર્યા પત્રમાં લખનૌ, અયોધ્યા, કાનપુર, વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈન્ટેલિજન્સ એલર્ટ બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આરપીએફ, જીઆરપી અને પોલીસ ઉપરાંત ડોગ સ્કવોડે લખનૌ, કાનપુર સહિત અનેક રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું હતું. સઘન સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : UP Election: સહારનપુરમાં વધી રહેલા ગુનાખોરીના અખિલેશ યાદવના નિવેદન પર અમિત શાહનો વાર, કહ્યું- તમે કયા ચશ્માથી જોઈ રહ્યા છો ?

આ પણ વાંચો : કોંગ્રેસ 10 વર્ષમાં 90% ચૂંટણી હારી, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો – નેતૃત્વ કોઈ વ્યક્તિનો અધિકાર નથી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">