AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: માયાવતીની જાહેરાત- BSP તમામ 403 સીટો પર ચૂંટણી લડશે, ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર

માયાવતીએ કોઈપણ અન્ય પક્ષ સાથે જોડાણને નકારી કાઢ્યું અને કહ્યું કે 2007 ની જેમ જો આ વખતે પણ સત્તા મળશે, તો તે તમામ વર્ગોનું ધ્યાન રાખશે.

UP Election 2022: માયાવતીની જાહેરાત- BSP તમામ 403 સીટો પર ચૂંટણી લડશે, ભાજપ અને કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Mayawati - BSP
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 4:34 PM
Share

BSP સુપ્રીમો માયાવતીએ (Mayawati) મંગળવારે જાહેરાત કરી હતી કે પાર્ટી યુપી વિધાનસભા ચૂંટણી 2022ની (UP Assembly Election 2022) તમામ 403 બેઠકો પર લડવા જઈ રહી છે. તેમણે કોઈપણ અન્ય પક્ષ સાથે જોડાણને નકારી કાઢ્યું અને કહ્યું કે 2007 ની જેમ જો આ વખતે પણ સત્તા મળશે, તો તે તમામ વર્ગોનું ધ્યાન રાખશે. માયાવતીએ આજે ​​લખનૌમાં પછાત વર્ગ, મુસ્લિમ સમાજ અને જાટ સમુદાયના પક્ષના નેતાઓની એક મોટી બેઠક બોલાવી છે.

આ બેઠકમાં તેમણે નેતાઓને પોતપોતાના સમાજ માટે અનામત બેઠકો પર પક્ષનો આધાર મજબૂત કરવાની જવાબદારી સોંપી હતી. આ પ્રસંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં, બસપા સુપ્રીમોએ ફરી એકવાર યુપીની તમામ 403 બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્યમાં 2007ની જેમ ફરી એકવાર બસપાની સરકાર બનશે.

માયાવતીએ આ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દલિતો, આદિવાસીઓ અને પછાત લોકો માટે અનામત બાબાસાહેબની ભેટ છે, પરંતુ યુપીમાં અનામતને બિનઅસરકારક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

જાટ, મુસ્લિમ અને પછાત સમુદાયના લોકો BSPમાં જોડાયા માયાવતીએ કહ્યું કે અગાઉ તેમણે પછાત વર્ગ, મુસ્લિમ સમાજ અને જાટ સમુદાયના પક્ષના કાર્યકર્તાઓને તેમના સમાજના લોકોને સામાન્ય બેઠકો પર પાર્ટી સાથે જોડવાની જવાબદારી સોંપી હતી, જેની તેમણે ગયા મહિને સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે આ વર્ગોના મોટી સંખ્યામાં લોકો બસપા (BSP) સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે જો દેશના દલિતો, સૌથી પછાત અને આદિવાસીઓને અનામતનો અધિકાર મળ્યો છે તો તે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું યોગદાન છે. તેમણે આ જોગવાઈ બંધારણની કલમ 340 હેઠળ કરી છે.

ભાજપ અને કોંગ્રેસ પર હુમલો કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે એ દુઃખની વાત છે કે કેન્દ્રમાં સૌથી લાંબો સમય સત્તાધારી કોંગ્રેસે મંડલ કમિશનની ભલામણોને કોલ્ડ સ્ટોરેજમાં રાખી હતી, જે બાદમાં વીપી સિંહ સરકારના અથાક પ્રયાસોથી બસપા દ્વારા લાગુ કરવામાં આવી હતી.

તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકારો નવા નિયમો અને કાયદાઓ અને કોર્ટ-કચેરી દ્વારા અનામતને બિનઅસરકારક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારનો અંત આવ્યો નથી. બીએસપી ઓબીસી સમાજની જાતિ ગણતરીની માગ સાથે સંપૂર્ણ રીતે સંમત છે જેને કેન્દ્ર સરકાર અવગણી રહી છે.

આ પણ વાંચો : રાજ્યસભાના તમામ સસ્પેન્ડેડ સાંસદ આવતીકાલે સંસદ પરિસરમાં ધરણા કરશે, વેંકૈયા નાયડુએ માફી માગ્યા વિના સસ્પેન્શન રદ કરવાનો કર્યો ઈનકાર

આ પણ વાંચો : Strategic Oil Reserve શું છે ? જેની મદદથી સરકાર પેટ્રોલ અને ડીઝલને સસ્તું કરવાનો કરી રહી છે પ્રયાસ

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">