AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ IIT કાનપુરના વિદ્યાર્થીઓને કહ્યું- આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાની લગામ તમારે લેવી પડશે

આ સાથે પીએમ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના સંપૂર્ણ સેક્શનનું (Kanpur Metro Rail Project) અને બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

PM મોદીએ IIT કાનપુરના વિદ્યાર્થીઓને કહ્યું- આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાની લગામ તમારે લેવી પડશે
PM Narendra Modi At Kanpur
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 5:03 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર શહેરના પ્રવાસે છે. આ અંતર્ગત, પીએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુર (IIT-Kanpur)ના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે. આ સાથે પીએમ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના સંપૂર્ણ સેક્શનનું (Kanpur Metro Rail Project) અને બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, શહેરી ગતિશીલતામાં સુધારો એ PM મોદીના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનો એક છે.

વિદ્યાર્થીઓને સંબોધતા પીએમએ કહ્યું કે 1930ના યુગમાં જેઓ 20-25 વર્ષના હતા, તેમની 1947 સુધીની સફર અને 1947માં આઝાદીની સિદ્ધિ તેમના જીવનનો સુવર્ણ તબક્કો હતો. આજે એક રીતે, તમે પણ એ જ સુવર્ણ યુગમાં પ્રવેશ કરી રહ્યા છો. જેમ આ રાષ્ટ્રના જીવનનું અમૃત છે, તે જ રીતે તે તમારા જીવનનું અમૃત છે.

પીએમએ કહ્યું કે આ યુગ, આ 21મી સદી સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત છે. આ દાયકામાં પણ ટેક્નોલોજી વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વર્ચસ્વ વધારશે. ટેક્નોલોજી વિનાનું જીવન હવે એક રીતે અધૂરું હશે. આ જીવન અને ટેકનોલોજીની સ્પર્ધાનો યુગ છે અને મને ખાતરી છે કે તમે આમાં ચોક્કસપણે આગળ આવશો. પહેલા વિચારથી કામ ચલાવવાનું હતું, તો આજે વિચારીને કંઈક કરવું, કામ કરવું અને પરિણામ લાવવાનું છે. અગાઉ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો પ્રયાસ થતો હતો તો આજે પ્રશ્નોના નિરાકરણ માટે સંકલ્પો લેવામાં આવે છે.

દેશની આઝાદીને 25 વર્ષ પૂરા થયા, ત્યાં સુધીમાં આપણે આપણા પગ પર ઊભા રહેવા માટે ઘણું બધું કરી લેવું જોઈતું હતું. ત્યારથી ઘણું મોડું થઈ ગયું છે, દેશે ઘણો સમય ગુમાવ્યો છે. વચ્ચે બે પેઢીઓ વીતી ગઈ એટલે આપણે બે પળ પણ ગુમાવવી નથી. વડાપ્રધાને કહ્યું કે આવનારા 25 વર્ષોમાં તમારે ભારતની વિકાસ યાત્રાની બાગડોર સંભાળવી પડશે. જ્યારે તમે તમારા જીવનના 50 વર્ષ પૂરા કરશો, ત્યારે તમારે તે સમયે ભારત કેવું હશે તે માટે તમારે અત્યારથી જ કામ કરવું પડશે.

IIT કાનપુરના 54માં દીક્ષાંત સમારોહમાં સીએમ યોગીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે આ દેશે 2020માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી છે. IIT કાનપુરે રાજ્ય સરકાર સાથે પરસ્પર સહયોગના ઘણા ઉદાહરણો રજૂ કર્યા છે.

આ પણ વાંચો : UP Assembly Elections: ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા નારાજ બ્રાહ્મણ મતદારોને રીઝવવામાં ભાજપ કેટલી સફળ થશે? વાંચો આ ગણિત

આ પણ વાંચો : Corona Update: ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ 653, મહારાષ્ટ્ર-દિલ્હી ટોચ પર, આ 5 રાજ્યોમાં ઓમિક્રોન સૌથી વધારે કેસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">