AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election: CM યોગીએ અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો, કહ્યું- નવો વેરિઅન્ટ આવી ગયો છે હવે તો વેક્સીન લઈ લો

સીએમ યોગી આદિત્યનાથે ફરી એકવાર અખિલેશ યાદવ પર કોરોના વેક્સીનને લઈને નિશાન સાધ્યું છે. આઝમગઢની સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ કોરોનાની રસીને ભાજપ અને મોદીજીની રસી કહેતા હતા.

UP Election: CM યોગીએ અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો, કહ્યું- નવો વેરિઅન્ટ આવી ગયો છે હવે તો વેક્સીન લઈ લો
Yogi Adityanath
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 6:03 PM
Share

ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે યુપીના તમામ મોટા રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે. રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath) સોમવારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) પર કોરોના વેક્સીનને લઈને નિશાન સાધ્યું છે. આઝમગઢની સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ કોરોનાની રસીને ભાજપ અને મોદીજીની રસી કહેતા હતા.

સીએમએ કહ્યું કે હવે અબ્બાજાને પણ રસી (Corona Vaccine) લઈ લીધી છે, તમે પણ રસી લઈ લો. નવો વેરિઅન્ટ આવી ગયો છે. જો તમને રસી મળી જશે, તો કદાચ તેમે સાચું બોલવાનું શરૂ કરી દેશો. તેમણે અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, જ્યારે અમે અહીં કોરોનાના દર્દીઓની કાળજી લઈ રહ્યા હતા ત્યારે અખિલેશ ઈંગ્લેન્ડમાં ફરતા હતા.

સપાએ ફક્ત પરિવારને જ પ્રદેશ માન્યો આ પ્રસંગે મુખ્યમંત્રીએ 76 કરોડથી વધુના 32 વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ સાથે લાભાર્થી યોજનાઓના પ્રમાણપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમએ કહ્યું કે મુલાયમ સિંહ યાદવ આઝમગઢથી (Azamgarh Uttar Pradesh) સાંસદ રહી ચુક્યા છે. રાજ્યમાં સપાની સરકાર હતી, પરંતુ વિકાસ માત્ર સૈફઈ માટે જ થઈ રહ્યો હતો. આઝમગઢ માત્ર પછાત જ રહ્યું કારણ કે સમાજવાદી પાર્ટીના (SP) નેતાઓ માત્ર પરિવારને પ્રદેશ માનતા હતા.

સપાની સાથે બસપા અને કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા સીએમ યોગીએ કહ્યું કે જ્યારે આ પાર્ટીઓ સરકારમાં હતી ત્યારે તેમણે રાજ્ય અને દેશના લોકો માટે કંઈ કર્યું નથી. સપાના શાસનમાં માફિયાઓની સંપત્તિ વધી. આઝમ ખાન જેવા લોકો દલિતોને હેરાન કરતા હતા. આજે માફિયાઓની મિલકતો પર બુલડોઝર ચાલતું હોય તો વિપક્ષ દર્દ અનુભવી રહ્યો છે.

મુખ્યમંત્રીએ લોકોને રસી લેવા હાકલ કરી સીએમ યોગીએ કહ્યું કે, અખિલેશ યાદવ તેને મોદીજીની રસી કહે છે. સીએમ યોગીએ જનતા સામે હાથ ઉંચો કરીને પૂછ્યું કે કેટલા લોકોને આ રસી મળી છે. તેમણે લોકોને કહ્યું કે જેમને રસી (Corona Vaccine) નથી મળી તેઓ તાત્કાલિક સરકારી દવાખાનામાં જઈને મફતમાં રસીકરણ કરાવે, જેમણે બીજો ડોઝ લીધો નથી તેઓએ બીજો ડોઝ લેવો જોઈએ. તેમણે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તે વિશ્વના ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે, તેથી દરેક વ્યક્તિએ કોરોનાથી બચવા માટેના ઉપાયો અપનાવવા પડશે.

આ પણ વાંચો : Maharashtra OBC Quota: સ્થાનિક ચૂંટણીઓમાં OBCને 27 ટકા અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે

આ પણ વાંચો : Honeytrap Racket : ફેસબુકમાં મિત્રતા કરી યુવતી બોલાવતી હતી મળવા, અને પછી થતી નકલી પોલીસની એન્ટ્રી, પોલીસે કર્યો હનીટ્રેપ રેકેટનો પર્દાફાશ

Follow Us
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
g clip-path="url(#clip0_868_265)">