AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyanvapi: જ્ઞાનવાપીના 10 પુરાવા જેનાથી હિંદુ પક્ષ કરે છે મંદિર હોવાનો દાવો

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath) જ્ઞાનવાપીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પુરાવા સત્ય કહી રહ્યા છે, તેથી જ જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે.

Gyanvapi: જ્ઞાનવાપીના 10 પુરાવા જેનાથી હિંદુ પક્ષ કરે છે મંદિર હોવાનો દાવો
Gyanvapi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 6:02 PM
Share

જ્ઞાનવાપીનો (Gyanvapi) સર્વે કરાવવાનો મામલો હજુ હાઈકોર્ટમાં છે, આ દરમિયાન ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે (Yogi Adityanath) જ્ઞાનવાપીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે, પુરાવા સત્ય કહી રહ્યા છે, તેથી જ જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે. વિપક્ષ સીએમ યોગીના આ નિવેદનનો વિરોધ કરી રહ્યો છે.

જ્ઞાનવાપી મંદિર હોવાના પૂરતા પુરાવા છે

સીએમ યોગી આદિત્યનાથનું આ નિવેદન જ્ઞાનવાપીને લઈને હિન્દુ પક્ષના દાવા પર આધારિત છે. હિન્દુ પક્ષ સતત દાવો કરી રહ્યું છે કે, જ્ઞાનવાપી મંદિર હોવાના પૂરતા પુરાવા છે, જોકે મુસ્લિમ પક્ષ તેમને સતત નકારે છે. ચાલો જાણીએ જ્ઞાનવાપીના તે 10 પુરાવાઓ વિશે જે હિન્દુ પક્ષ દ્વારા મંદિર હોવાના પુરાવા તરીકે કહેવામાં આવે છે.

1. કોર્ટના આદેશ પર, 2022 માં એડવોકેટ કમિશનર અજય મિશ્રા સામે કોર્ટમાં દાખલ કરાયેલા અહેવાલમાં, જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલ પર શેષનાગ અને હિન્દુ દેવતાઓની તસવીરો હોવાનું બહાર આવ્યું હતું, જોકે બાદમાં તેના પર માહિતી લીક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

2. સર્વે દરમિયાન 2022માં કરવામાં આવેલી વિડિયોગ્રાફી દરમિયાન વજૂખાનામાં કાળા રંગનો પથ્થરનો આકાર જોવા મળ્યો હતો. હિંદુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તે શિવલિંગ છે, જો કે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે ફુવારો છે.

3. કાશી વિશ્વનાથ મંદિરમાં વિરાજમાન નંદીને તેનો સૌથી મોટો પુરાવો કહેવામાં આવી રહ્યો છે. નંદીનું મુખ વજુખાના તરફ છે, મધ્યમાં એક ગિરિલ છે, હિંદુ પક્ષની દલીલ છે કે નંદીનો ચહેરો માત્ર શિવલિંગ તરફ જ હોય છે. તેથી તે ફુવારો નહીં પણ શિવલિંગ છે.

4. વારાણસી કોર્ટના આદેશ પર જ 2022માં થયેલા સર્વેમાં દિવાલોની વીડિયોગ્રાફીમાં જોવા મળેલી કોતરણીને હિન્દુ આસ્થાનું પ્રતિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

5. દિવાલો પર ત્રિશુલની કોતરણી પણ મળી છે, હિન્દુ પક્ષનો દાવો છે કે જો અહીં મંદિર નહોતું તો ત્રિશુલની કોતરણી ક્યાંથી આવી?

6. વિડીયોગ્રાફીમાં જ્ઞાનવાપીની દિવાલો પર લખેલા કેટલાક શબ્દો પણ સામે આવ્યા છે, હિન્દુ પક્ષની દલીલ છે કે આ મંત્રો છે જે સાબિત કરે છે કે અહીં મંદિર હતું.

7. વર્ષ 2022માં ત્રણ દિવસના સર્વે બાદ કોર્ટ કમિશનર વિશાલ સિંહ દ્વારા વારાણસીની કોર્ટમાં અન્ય એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જ્ઞાનવાપીમાં હિંદુ આસ્થાના ઘણા ચિહ્નો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે દિવાલો પર કમળની આકૃતિઓ છે.

8. હિંદુ પક્ષનો એવો પણ દાવો છે કે દિવાલો પર ઘંટીની કલાકૃતિ પણ છે. આ સિવાય 2022માં થયેલા સર્વેમાં ત્રણ ગુંબજનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ ગુંબજની નીચે ત્રણ ગુંબજ પણ જોવા મળ્યા હતા, તેને પણ હિંદુ પક્ષે મંદિરનો પુરાવો બતાવ્યો હતો.

આ પણ વાંચો : Uttar Pradesh: મોહરમના જુલૂસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, પોલીસે 33 લોકોની કરી ધરપકડ, જુઓ Video

9. જ્ઞાનવાપીના ભોંયરામાં જ્યારે ટીમ ગઈ તો ત્યાં સ્વસ્તિકની નિશાની હતી જે સીડીની નીચે હતી. આ સિવાય અહીં એવા ઘણા પુરાવા મળ્યા છે જે હિંદુ પક્ષના દાવાની પુષ્ટિ કરે છે.

10. બીજા સર્વેમાં કોર્ટ કમિશનર વિશાલ સિંહે આપેલા રિપોર્ટમાં ત્રિશુલ, કમળ ઉપરાંત ડમરુની કલાકૃતિઓ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
g clip-path="url(#clip0_868_265)">