AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમારી જવાબદારી હજુ ખતમ નથી થઈ…ગુમ લોકોની વાત કરતા ભાવુક થઈ ગયા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

એક તરફનું કામ એક દિવસમાં પૂર્ણ થયું હતું, હવે બીજી સાઈટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ પછી તેમણે ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલવે મંત્રીએ કહ્યું કે, ટ્રેક પર રસ્તો સાફ થઈ ગયો છે, પરંતુ અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી.

અમારી જવાબદારી હજુ ખતમ નથી થઈ...ગુમ લોકોની વાત કરતા ભાવુક થઈ ગયા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
Union Railway minister ashwini vaishnaw
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 7:10 AM
Share

Odisha: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા હતા. રેલવે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પુનઃસ્થાપન અંગે મીડિયાને માહિતી આપી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા અને ગળગળા થઈ ગયા. ગળામાં ડૂમા સાથે, રેલવે મંત્રીએ કહ્યું કે બાલાસોર રેલ દુર્ઘટના સ્થળ પર રેલ ટ્રેકના પુનઃસ્થાપનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે બંને બાજુથી (UP-DOWN)રેલ ટ્રાફિક માટે રસ્તો સાફ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat News Live: બાલાસોરમાં 51 કલાક પછી રેલવે પ્રધાનની હાજરીમાં ટ્રેન વ્યહવારની શરૂઆત, બિહારમાં પત્તાના મહેલની જેમ ધસી પડ્યો નિર્માણાધિન પૂલ, વાંચો દેશ દુનીયાની Latest Updates

એક તરફનું કામ એક દિવસમાં પૂર્ણ થયું હતું, હવે બીજી સાઈટનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ પછી તેમણે ટ્રેન દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોનો ઉલ્લેખ કર્યો. રેલવે મંત્રીએ કહ્યું કે, ટ્રેક પર રસ્તો સાફ થઈ ગયો છે, પરંતુ અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી.

અમારો ધ્યેય ગુમ થયેલા લોકોને શોધવાનો છેઃ રેલવે મંત્રી

રેલવે મંત્રીએ ભાવુક થતા કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકે. તેઓ શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજુ પૂરી થઈ નથી. તમને જણાવી દઈએ કે બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી, ત્યાં યુદ્ધના ધોરણે કામ ચોવીસે કલાક ચાલુ હતું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે સતત હાજર હતા. સેંકડો રેલવે કર્મચારીઓ, રાહત રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ, ટેકનિશિયનથી લઈને એન્જિનિયરો દિવસ-રાત કામ કરતા રહ્યા.

શનિવારે રાત્રે જ ક્ષતિગ્રસ્ત બોગીઓ દૂર કરવામાં આવી હતી

અકસ્માત બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ ઝડપથી બદલાતી રહી. પાટા પર વિખરાયેલા બોગીઓને શનિવારે રાત્રે જ કિનારે હટાવી દેવામાં આવી હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને ગુડ્સ ટ્રેનના બાકીના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ પછી રવિવારે આખો દિવસ ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું હતું.

આના પરિણામે, અકસ્માતના 51 કલાક પછી જ આ ટ્રેક પર પ્રથમ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. જેને ટ્રેક યોગ્ય રીતે ફીટ કરવામાં આવ્યો છે કે કેમ તે જોવા માટે દોડાવવામાં આવી હતી અને ત્યાર બાદ રવિવારે મોડી રાત્રે અપ અને ડાઉન બંને લાઇનના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હવે આ લાઇન અને અસરગ્રસ્ત ટ્રેક પર ફરી એકવાર ટ્રેન આગળ વધવા માટે તૈયાર છે.

પહેલી ટ્રેન રવિવારે રાત્રે 10:40 કલાકે રવાના થઈ હતી

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, બાલાસોરમાં જે સેક્શનમાં અકસ્માત થયો હતો, તે ભયાનક અકસ્માતના 51 કલાક બાદ રવિવારે રાત્રે લગભગ 10.40 વાગ્યે પહેલી ટ્રેન દોડતી જોવા મળી હતી. રેલવે મંત્રીએ અહીંથી માલસામાન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. કોલસા વહન કરતી આ ટ્રેન વિઝાગ બંદરથી રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ તરફ જઈ રહી છે.

શુક્રવારે જે ટ્રેક પર બેંગલુરુ-હાવડા ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું હતું કે, “ડાઉન લાઇન પર કામ પૂર્ણ, ટ્રેક પુનઃસ્થાપિત. સેક્શન પર પ્રથમ ટ્રેન દોડશે.” ડાઉનલાઇન પુનઃસ્થાપિત થયાના માંડ બે કલાક પછી, અપલાઇન પણ અવરજવર માટે સંપૂર્ણપણે તૈયાર હતી.

સમગ્ર વિભાગ પર રેલની હિલચાલને સામાન્ય બનાવવાની યોજના

અકસ્માતગ્રસ્ત વિભાગની અપ લાઇન પર દોડનારી પ્રથમ ટ્રેન ખાલી માલ ટ્રેન હતી. આ એ જ ટ્રેક છે કે જેના પર કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં પ્રવેશતા પહેલા ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. કહેવામાં આવ્યું હતું કે “આ સેક્શનમાંથી ત્રણ ટ્રેનો નીકળી ગઈ છે (બે ડાઉન અને એક અપ). આ સિવાય રાતોરાત લગભગ સાત ટ્રેનો પસાર કરવાનું આયોજન હતું. આ રીતે, આખા સેક્શન પર ટ્રેનોની અવરજવર સામાન્ય કરવું છે. ”

ગુમ થયેલા લોકોને લઈને રેલવે મંત્રી ભાવુક થઈ ગયા

તેમના સમગ્ર કામકાજની માહિતી આપતી વખતે જે બાબત પર રેલવે મંત્રી ભાવુક થયા તે હતુ ગુમ થયેલા લોકોની વાત. હકીકતમાં, લગભગ 182 મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સ્થિતિ એ છે કે હોસ્પિટલોના શબઘરો મૃતદેહોથી ભરેલા છે અને આ કાળઝાળ ગરમીમાં મૃતદેહોને સુરક્ષિત રાખવા પ્રશાસન માટે પડકાર બની ગયા છે. આ માટે એક શાળા અને કોલ્ડ સ્ટોરેજને શબઘરમાં ફેરવવામાં આવ્યું છે.

187 મૃતદેહોને ભુવનેશ્વર ખસેડવામાં આવ્યા હતા

અકસ્માત બાદ બાલાસોરના શબઘરમાં જગ્યાના અભાવે એક શાળાને શબઘરમાં ફેરવવામાં આવી હતી. અહીં મૃતદેહોને ક્લાસમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ, ઓડિશા સરકારે જિલ્લા મુખ્યાલય શહેર બાલાસોરથી 187 મૃતદેહોને ભુવનેશ્વર ખસેડ્યા હતા. જો કે, અહીં પણ જગ્યાની અછતને કારણે શબઘર વહીવટ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની રહી છે. તેમાંથી 110 મૃતદેહોને ભુવનેશ્વર AIIMSમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના મૃતદેહોને કેપિટલ હોસ્પિટલ, આમરી હોસ્પિટલ, સમ હોસ્પિટલ વગેરેમાં રાખવામાં આવ્યા છે.

મૃતદેહોને કોફિન, બરફ અને ફોર્મલિનથી સુરક્ષિત રાખવામાં આવી રહ્યા છે

AIIMS ભુવનેશ્વરના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અહીં મૃતદેહોને સુરક્ષિત રાખવા એ અમારા માટે પણ એક વાસ્તવિક પડકાર છે, કારણ કે અમારી પાસે વધુમાં વધુ 40 મૃતદેહો રાખવાની સુવિધા છે. AIIMS સત્તાવાળાઓએ મૃતદેહોની ઓળખ ન થાય ત્યાં સુધી તેને સાચવવા માટે શબપેટીઓ, બરફ અને ફોર્મલિન રસાયણ મેળવ્યા છે. આ ગરમીની મોસમમાં મૃતદેહોને રાખવા ખરેખર મુશ્કેલ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">