AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Violence: ‘દિમાગ ખરાબ હૈ ક્યા, બે’- પુત્ર પર સવાલ પુછાતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની ભડક્યા

લખીમપુર હીંસાની ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની ફરી વિવાદોમાં ફસાયા છે. અજય મિશ્રા પર આરોપ છે કે લખીમપુર ખીરી હીંસા મુદ્દે પત્રકારોએ સવાલ પૂછવા પર તેણે મીડિયા સાથે ગેરવર્તન કર્યું.

Lakhimpur Violence: 'દિમાગ ખરાબ હૈ ક્યા, બે'- પુત્ર પર સવાલ પુછાતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની ભડક્યા
Ajay Mishra Teni
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:33 PM
Share

લખીમપુર હીંસાની (Lakhimpur Violence) ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની (Ajay Mishra Teni) ફરી વિવાદોમાં ફસાયા છે. અજય મિશ્રા પર આરોપ છે કે લખીમપુર ખીરી હીંસા મુદ્દે પત્રકારોએ સવાલ પૂછવા પર તેણે મીડિયા સાથે ગેરવર્તન કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એક ટીવી ચેનલના પત્રકારે મંત્રીને લખીમપુર ખીરી સંબંધિત SIT તપાસ વિશે પૂછ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા અને અભદ્ર વર્તન કરવા લાગ્યા.

આરોપ છે કે તેણે ટીવી રિપોર્ટરને ડરાવવા, ધમકાવવાનો પ્રયાસ કર્યો. ત્યાં હાજર અન્ય એક પત્રકારનો પણ મોબાઈલ સ્વીચ ઓફ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ટેનીએ કહ્યું, ‘બેવકુફીભર્યા સવાલ ના કરો, દિમાગ ખરાબ કૈ ક્યા, બે ? આ પછી તેમણે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે, વિપક્ષ ટેનીના રાજીનામાની સતત માંગ કરી રહ્યો છે.

લખીમપુર હિંસા પર સંસદમાં હંગામો, ગૃહ રાજ્ય મંત્રી ટેનીના રાજીનામાની માંગ ઉઠી તે જ સમયે, લખીમપુર ખીરી હિંસા મામલાને લઈને આજે લોકસભામાં હંગામો થયો, ત્યારબાદ ગૃહને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું. જો કે આ પછી હોબાળાને કારણે લોકસભા ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખીમપુર ખેરી ઘટનાને લઈને લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે માંગ કરીશું કે સરકાર ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરે. સાથે જ તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આજે ગૃહમાં આ વિષય પર વાત રાખવાનો પ્રયાસ કરશે. ટીએમસીના રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પણ નિયમ 267 હેઠળ લખીમપુર ખેરી કેસ પર ચર્ચાની માંગ કરી છે. એટલે કે આજે વિપક્ષ લખીમપુર ખેરી મુદ્દે ગૃહમાં હંગામો મચાવી શકે છે.

આ પણ વાંચોઃ

Vicky-Katrina Reception : રિસેપ્શનમાં કેટરિના કૈફને સાડી પહેરાવવાના લાખો રૂપિયા લેશે આ યુવતી, જાણો આ બોલિવૂડની ડ્રેપર ક્વીન વિશે

આ પણ વાંચોઃ

VALSAD : દમણમાં ચોર સમજી કિશોરને સ્થાનિકોએ આપી તાલીબાની સજા, વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">