મોદી હૈ તો મુમકિન હે…કતારમાંથી 8 ભારતીય નૌસૈનિકોની મુક્તિ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત કરી

નૌસૈનિકોની વાપસીને ભારતની મોટી કૂટનીતિક જીત તરીકે ગણવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તમામ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતના એક દિવસ પહેલા કતાર દ્વારા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને મુક્ત કરાયા છે.

મોદી હૈ તો મુમકિન હે...કતારમાંથી 8 ભારતીય નૌસૈનિકોની મુક્તિ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત કરી
Anurag Thakur
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 7:09 PM

કતારમાંથી ભારતીય નૌસૈનિકોની સુરક્ષિત વાપસીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારત અને પીએમ નરેન્દ્ર મોદીનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. નૌસૈનિકોની વાપસીને ભારતની મોટી કૂટનીતિક જીત તરીકે ગણવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તમામ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

આ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોની ધરપકડથી ભારત અને કતાર વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો હતો. કતારે ઓગસ્ટ 2022માં આ ભારતીય નૌસૈનિકોની ધરપકડ કરી હતી, પરંતુ તેનું કોઈ કારણ આપ્યું ન હતું. કતારમાં આ પૂર્વ ભારતીય નૌસૈનિકોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે ભારતે દોહામાં પણ અપીલ કરી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ત્યાર બાદ ગયા વર્ષના અંતમાં કતારે આ નૌસૈનિકોની મૃત્યુદંડની સજા ઘટાડી હતી. કતાર તરફથી એવા સંકેતો મળ્યા હતા કે આ ભારતીય નૌસૈનિકો ટૂંક સમયમાં મુક્ત થઈ શકે છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતના એક દિવસ પહેલા કતાર દ્વારા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી છે.

અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત કરી

કતારમાંથી આઠ ભારતીય નૌસૈનિકોની સ્વદેશ વાપસી પર ખુશી વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 45 દિવસ પહેલા નૌસૈનિકોની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. અને હવે આપણા નૌસૈનિકોને સ્વદેશ પરત લાવીને એ સાબિત કરી દીધું છે કે “મોદી હૈ તો મુમકિન હે”.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન ગંગામાં લગભગ 27000 ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એનઆરઆઈને કોઈપણ યુદ્ધગ્રસ્ત અથવા આપત્તિગ્રસ્ત દેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પછી તે નેપાળ હોય કે અફઘાનિસ્તાન. તેથી છેલ્લા 10 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">