મોદી હૈ તો મુમકિન હે…કતારમાંથી 8 ભારતીય નૌસૈનિકોની મુક્તિ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત કરી

નૌસૈનિકોની વાપસીને ભારતની મોટી કૂટનીતિક જીત તરીકે ગણવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તમામ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતના એક દિવસ પહેલા કતાર દ્વારા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને મુક્ત કરાયા છે.

મોદી હૈ તો મુમકિન હે...કતારમાંથી 8 ભારતીય નૌસૈનિકોની મુક્તિ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત કરી
Anurag Thakur
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 7:09 PM

કતારમાંથી ભારતીય નૌસૈનિકોની સુરક્ષિત વાપસીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભારત અને પીએમ નરેન્દ્ર મોદીનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. નૌસૈનિકોની વાપસીને ભારતની મોટી કૂટનીતિક જીત તરીકે ગણવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે તમામ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.

આ 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોની ધરપકડથી ભારત અને કતાર વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો હતો. કતારે ઓગસ્ટ 2022માં આ ભારતીય નૌસૈનિકોની ધરપકડ કરી હતી, પરંતુ તેનું કોઈ કારણ આપ્યું ન હતું. કતારમાં આ પૂર્વ ભારતીય નૌસૈનિકોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે ભારતે દોહામાં પણ અપીલ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ત્યાર બાદ ગયા વર્ષના અંતમાં કતારે આ નૌસૈનિકોની મૃત્યુદંડની સજા ઘટાડી હતી. કતાર તરફથી એવા સંકેતો મળ્યા હતા કે આ ભારતીય નૌસૈનિકો ટૂંક સમયમાં મુક્ત થઈ શકે છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાતના એક દિવસ પહેલા કતાર દ્વારા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી છે.

અનુરાગ ઠાકુરે ખુશી વ્યક્ત કરી

કતારમાંથી આઠ ભારતીય નૌસૈનિકોની સ્વદેશ વાપસી પર ખુશી વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 45 દિવસ પહેલા નૌસૈનિકોની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી. અને હવે આપણા નૌસૈનિકોને સ્વદેશ પરત લાવીને એ સાબિત કરી દીધું છે કે “મોદી હૈ તો મુમકિન હે”.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન ગંગામાં લગભગ 27000 ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એનઆરઆઈને કોઈપણ યુદ્ધગ્રસ્ત અથવા આપત્તિગ્રસ્ત દેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પછી તે નેપાળ હોય કે અફઘાનિસ્તાન. તેથી છેલ્લા 10 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">