AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશમાં CAPTના મંચ પરથી કરી મોટી જાહેરાત, ભોપાલમાં બનશે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસ સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મોટી જાહેરાત કરી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભોપાલમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (Forensic Science University) બનાવવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશમાં CAPTના મંચ પરથી કરી મોટી જાહેરાત, ભોપાલમાં બનશે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી
Amit shah in bhopalImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 6:06 PM
Share

મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસ સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મોટી જાહેરાત કરી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભોપાલમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (Forensic Science University) બનાવવામાં આવશે. આ દરમિયાન, પોલીસ સાયન્સ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે અમે ઘણા વર્ષોથી ઉત્તર પૂર્વ વિસ્તારોમાં ડાબેરી ઉગ્રવાદ અને નાર્કોટિક્સની સમસ્યા જોઈ રહ્યા છીએ. અહીં કેટલાક નિવૃત્ત અધિકારીઓ પણ છે. જ્યારે તેઓ સેવામાં જોડાયા હતા ત્યારે પણ તેમણે આ સમસ્યા સાંભળી હશે અને જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે પણ સમસ્યા એવી જ છે. આજે હું સંતોષ સાથે કહી શકું છું કે આ સમસ્યાઓના ઉકેલની દિશામાં આપણે લગભગ મોટી સફળતા હાંસલ કરી છે. પછી તે કાશ્મીર સમસ્યા હોય, પછી તે ડાબેરી ઉગ્રવાદની સમસ્યા હોય, પછી તે ઉત્તર-પૂર્વની સમસ્યા હોય.

મુખ્યમંત્રી શિવરાજ સિંહે વખાણ કર્યા

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ શિવરાજ સિંહ ચૌહાણના કામની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે લોકપ્રિય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના બિમારુ રાજ્યને વિકાસ તરફ લઈ જવાનું કામ કર્યું છે. સાથે જ અમિત શાહે કહ્યું કે આજે હું સંતોષ સાથે કહી શકું છું કે ત્રણ થિયેટરની અંદર નરેન્દ્ર મોદી સરકારે તમામ સમસ્યાઓને વૈજ્ઞાનિક રીતે ઉકેલવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે પછી તે કાશ્મીરની સમસ્યા હોય, ડાબેરી ઉગ્રવાદની સમસ્યા હોય કે પછી ઉત્તર-પૂર્વની અંદરના હથિયારોની સમસ્યા હોય. ઘણા જૂથો શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.

ગૃહમંત્રીએ કલમ 370નો ઉલ્લેખ કર્યો

બીજી તરફ અમિત શાહે કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે કલમ 370 નાબૂદ થયા બાદ રાજ્યમાં વિકાસનો નવો યુગ શરૂ થયો છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ સામે કડક હાથે કાર્યવાહી કરી છે. ડાબેરી ઉગ્રવાદનો પણ લગભગ અંત આવ્યો છે. મધ્યપ્રદેશમાંથી ડાબેરી ઉગ્રવાદ લગભગ ખતમ થઈ ગયો છે.

આ પણ વાંચો: ચીન અને સોલોમન ટાપુઓ વચ્ચે ‘સિક્યોરિટી એગ્રીમેન્ટ’ને કારણે અમેરિકા તણાવમાં, સેના મોકલીને દેશને અસ્થિર કરી શકે છે ડ્રેગન

આ પણ વાંચો: હિજાબ વિવાદને હાઈકોર્ટમાં પડકારનાર વિદ્યાર્થીનીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન મળ્યો, મુખ્યમંત્રીએ કહ્યું- મને ઘટનાની જાણ નથી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">