યુક્રેનના મિસાઈલ હુમલામાં રશિયાનું યુદ્ધ જહાજ મોસ્કવા નષ્ટ થયું, હવે ભારતીય નૌકાદળ કરી રહી છે અભ્યાસ

યુદ્ધ જહાજમાં સામાન્ય રીતે 500 ખલાસીઓ હોય છે અને તે ડૂબી જાય તે પહેલા તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમાં લાગેલી આગને પણ કાબૂમાં લેવામાં આવી હતી. આ યુદ્ધ જહાજ 16 લાંબા અંતરની મિસાઈલો લઈ જવા માટે સક્ષમ હતું.

યુક્રેનના મિસાઈલ હુમલામાં રશિયાનું યુદ્ધ જહાજ મોસ્કવા નષ્ટ થયું, હવે ભારતીય નૌકાદળ કરી રહી છે અભ્યાસ
Russian battleship Moskva
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 12:46 PM

કાળા સમુદ્રમાં તૈનાત રશિયન ફાઇટર કાફલાનો ભાગ બનેલું યુદ્ધ જહાજ મોસ્કવા મિસાઇલ હુમલા બાદ ડૂબી ગયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય નૌકાદળના ઓપરેશનલ પ્લાનર્સ મોસ્કવાના ડૂબવાનો અભ્યાસ કરી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય યુદ્ધ જહાજોને ચીનની ડીએફ-21 (Chinese DF-21) જેવી એન્ટિ-શિપ બેલેસ્ટિક મિસાઇલોથી (Anti-Ship Ballistic Missiles) કેવી રીતે સુરક્ષિત કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. રશિયાના યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડૂબેલા મોસ્કવાને કારણે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ચીન સહિત વિશ્વની તમામ નૌસેનાઓ માટે એન્ટી શિપ હથિયારો ખતરો બની ગયા છે. ચીની મીડિયાએ ડીએફ 21ને શિપ કિલર અને ડીએફ 26ને ઈન્ડો-પેસિફિકમાં ગુઆમમાં યુએસ બેઝનો કિલર ગણાવ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રશિયન મોસ્કવાનું ડૂબવું આગામી સપ્તાહે નૌકા કમાન્ડરોની કોન્ફરન્સમાં ચર્ચાનો વિષય હશે. જોકે ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં ખૂબ જ મજબૂત છે. તે ફ્લેગશિપ યુદ્ધ જહાજો બરાક-1 અને બરાક-8 સપાટીથી હવામાં મિસાઈલો તેમજ હવાઈ અને ક્રુઝ મિસાઈલના જોખમોનો સામનો કરવા માટે ક્લોઝ-ઈન વેપન્સ સૂટ (CIWS) ધરાવે છે.

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ એડમિરલ કહે છે કે, 1960 ના દાયકામાં એન્ટિ-શિપ મિસાઇલ યુગની શરૂઆત થઈ હતી અને તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન મિસાઇલ હુમલાઓ અને જહાજો પર આગ કેવી રીતે ટાળી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. NTRO દ્વારા સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવ 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ભારતીય સેનાને ભારત અને તેના લશ્કરી પ્લેટફોર્મ તરફ મિસાઇલ પ્રક્ષેપણને ટ્રેસ કરવામાં મદદ કરશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ઝેલેન્સકીએ રશિયન યુદ્ધ જહાજ મોસ્કવાના ડૂબી જવાનો સંકેત આપ્યો

તમને જણાવી દઈએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયન યુદ્ધ જહાજ મોસ્કવાના ડૂબવા તરફ ઈશારો કર્યો હતો. જો કે, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે, યુદ્ધ જહાજ એક બંદર પર લઈ જતી વખતે તોફાનમાં ડૂબી ગયું હતું. યુદ્ધ જહાજમાં સામાન્ય રીતે 500 ખલાસીઓ હોય છે અને તે ડૂબી જાય તે પહેલા તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમાં લાગેલી આગને પણ કાબૂમાં લેવામાં આવી હતી. આ યુદ્ધ જહાજ 16 લાંબા અંતરની મિસાઈલો લઈ જવા માટે સક્ષમ હતું. નિષ્ણાતોએ કહ્યું હતું કે, યુદ્ધ જહાજ ડૂબવાથી કાળા સમુદ્રમાં રશિયાની સૈન્ય ક્ષમતા પર પ્રતિકૂળ અસર થશે. આ ઉપરાંત, આ ઘટના યુક્રેન યુદ્ધમાં રશિયાની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો છે, જે પહેલાથી જ એક મોટી ઐતિહાસિક ભૂલ તરીકે જોવામાં આવે છે.

આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો: Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">