AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ujjain: ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર તુટ્યો રેકોર્ડ, 15 લાખથી વધુ ભક્તોએ બાબા મહાકાલના કર્યા દર્શન

શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીએ જણાવ્યું કે 17 ફેબ્રુઆરી 2023ના રાત્રે 2 વાગ્યાથી બાબા મહાકાલના કપાટ ખુલ્યા બાદ 44 કલાક સુધી બાબા મહાકાલના દર્શન ચાલુ છે, જેમાં અત્યાર સુધી કુલ 15 લાખ શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દિવ્ય દર્શનનો લાભ લઈ ચૂક્યા છે.

Ujjain: ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર તુટ્યો રેકોર્ડ, 15 લાખથી વધુ ભક્તોએ બાબા મહાકાલના કર્યા દર્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 6:51 PM
Share

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ લોકના લોકાર્પણ બાદ સતત મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જઈ રહી છે. જ્યાં મહાશિવરાત્રી પર ઉજ્જૈનમાં 10 લાખ ભક્તોના આવવાનું અનુમાન હતુ પણ મહાશિવરાત્રીના 1 દિવસ પહેલા એટલે કે 17 ફેબ્રુઆરી 2023થી જ લાખો શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દર્શન કરવા માટે મંદિરમાં આવ્યા.

શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીએ જણાવ્યું કે 17 ફેબ્રુઆરી 2023ના રાત્રે 2 વાગ્યાથી બાબા મહાકાલના કપાટ ખુલ્યા બાદ 44 કલાક સુધી બાબા મહાકાલના દર્શન ચાલુ છે, જેમાં અત્યાર સુધી કુલ 15 લાખ શ્રદ્ધાળુઓ બાબા મહાકાલના દિવ્ય દર્શનનો લાભ લઈ ચૂક્યા છે.

શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીએ એ પણ જણાવ્યું કે મહાશિવરાત્રી પુરી થશે ત્યાં સુધી બાબા મહાકાલના દર્શન કરનારા શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે નવો રેકોર્ડ બનાવશે. જણાવી દઈએ કે મહાકાલ લોકાર્પણ બાદ નવા વર્ષમાં પણ આ વખતે લાખો ભક્તો બાબા મહાકાલના દરબારમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની ‘મોગેમ્બો’ વાળી ટિપ્પણી બાદ ભાજપે કહ્યું- તમે ‘મિસ્ટર ઈન્ડિયા’ની જેમ ગાયબ થઈ રહ્યા છો

શ્રી મહાકાલ લોકના વિકાસ અને સુવિધાયુક્ત થયા બાદ મંદિરની આવકમાં પણ મોટો વધારો થયો છે. શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીએ જણાવ્યું કે મહાશિવરાત્રી પર્વ પર સતત 4 પ્રહરની આરતી કરવામાં આવી. જે સવાર સુધી ચાલે છે.

LEDમાં ભક્તોને બાબા મહાકાલના દર્શન કરાવ્યા

શ્રી મહાકાલેશ્વર મંદિરના પ્રશાસક સંદીપ સોનીનું કહેવું છે કે આ આરતીના કારણે બાબાનો દરબાર મહાશિવરાત્રી પર્વ પર 44 કલાક રાતભર દર્શનાર્થીઓ માટે ખુલ્લો રહે છે. દર્શનાર્થીઓને આવવા-જવા માટે કોઈ પ્રકારની અસુવિધા ના થાય તે માટે બસ ચલાવવામાં આવી હતી. જ્યારે દર્શન વ્યવસ્થા માટે ઠેર-ઠેર એલઈડી વોલ લગાવીને પણ દર્શનાર્થીને બાબા મહાકાલના દર્શન કરાવવામાં આવ્યા.

સારી કનેક્ટિવિટી

ઉજ્જૈનની કાયાપલટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં વિકાસ મોડલની નવી તસ્વીર દુનિયાની સામે રજૂ કરી છે. જ્યાં દેશ દુનિયાથી ઉજ્જૈનની સારી કનેક્ટિવિટીએ શ્રી મહાકાલેશ્વર મંદિરનો રસ્તો સરળ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે 11 ઓક્ટોબર 2022એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલ લોકનું લોકાર્પણ કર્યા બાદ ઉજ્જૈન નગરીમાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડબ્રેક ધસારો છે.

બાબા મહાકાલની નગરી ઉજ્જૈન દરરોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આ વર્ષે મહાશિવરાત્રી પર રેકોર્ડસ્તર પર શ્રદ્ધાળુઓએ બાબાના દરબારમાં હાજરી લગાવી છે. વર્ષ 2023ની શરૂઆત હોય અથવા અન્ય પર્વ, શિવ ભક્ત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ઉજ્જૈન આવે છે. જેનાથી મધ્યપ્રદેશના પર્યટન ઉદ્યોગને પણ નવી ઉંચાઈ મળી રહી છે. મંદિર પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું કે આ વખતે મહાશિવરાત્રી પર બાબા મહાકાલના દર્શનના તમામ રેકોર્ડ તુટી ચૂક્યા છે. આંકડો 15 પહોંચ્યા બાદ પણ સતત મંદિરમાં બાબા મહાકાલના દર્શન માટે ભક્તો આવી રહ્યા છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">