Ujjain Mahakaleshwar Temple: 30 ડિસે.થી 3 જાન્યુ. સુધી મહાકાલના ગર્ભગૃહમાં ભક્તો માટે પ્રવેશ બંધ, માત્ર પૂજારી અને કર્મચારીઓ જ જઈ શકશે

|

Dec 28, 2021 | 9:38 PM

મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફ્યુ લાગુ થતાંની સાથે જ શયન આરતી અને ભસ્મઆરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ગર્ભગૃહમાં પ્રવેશ પણ શરૂ થઈ ગયો હતો, પરંતુ હવે 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

Ujjain Mahakaleshwar Temple: 30 ડિસે.થી 3 જાન્યુ. સુધી મહાકાલના ગર્ભગૃહમાં ભક્તો માટે પ્રવેશ બંધ, માત્ર પૂજારી અને કર્મચારીઓ જ જઈ શકશે
Ujjain Mahakaleshwar

Follow us on

આગામી 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી ઉજ્જૈનના (Ujjain) મહાકાલેશ્વર મંદિરના (Mahakaleshwar Temple) ગર્ભગૃહમાં ભક્તો પ્રવેશ કરી શકશે નહીં. મહાકાલેશ્વરના દર્શન દુરથી જ કરી શકાશે. કોરોનાના કેસ વધતા હોવાથી, વર્ષના અંતિમ દિવસોમાં અને નવા વર્ષની શરૂઆતમાં ભીડ વધવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.

વર્ષ 2021ના અંતિમ દિવસોમાં અને નવા વર્ષની શરૂઆતમાં મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ભારે ભીડ થતી હોય છે. દૂર દૂરથી ભક્તો મહાકાલેશ્વર મંદિરના દર્શન માટે આવે છે. દરેક વ્યક્તિનું સપનું છે કે નવા વર્ષની શરૂઆત મહાકાલના દર્શનથી થાય, પરંતુ આ વખતે કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની ચિંતાને કારણે વહીવટીતંત્ર કડકાઈથી કામે લાગી ગયું છે.  મધ્યપ્રદેશમાં નાઇટ કર્ફ્યુ લાગુ થતાંની સાથે જ શયન આરતી અને ભસ્મઆરતીમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ગર્ભગૃહમાં પ્રવેશ પણ શરૂ થઈ ગયો હતો, પરંતુ હવે 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં ભક્તો 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી જઈ શકશે નહીં. દૂરથી મહાકાલના દર્શન કરવા પડશે.  આ વર્ષના અંતિમ દિવસોમાં અને નવા વર્ષની શરૂઆતમાં ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને આવતા લોકોને કારણે ભીડ વધવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી મહાકાલેશ્વરના ગર્ભગૃહમાં માત્ર પૂજારી, મંદિરના કર્મચારીઓ જ પ્રવેશ કરી શકશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મહાકાલેશ્વરના દર્શને આવતા દર્શનાર્થીઓએ નંદીમંડપ પાછળના ગણેશ મંડપમાંથી દર્શન કરવાના રહેશે. દર્શન માટે પણ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દર્શનાર્થીઓને સવારે 6 થી 9 વાગ્યા સુધી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે. ગર્ભગૃહમાં દર્શન ન થવા પાછળ વહીવટીતંત્રનો તર્ક એવો છે કે આ વર્ષના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં ભક્તોની સંખ્યા વધુ રહે છે. ભીડને કારણે દર્શન વ્યવસ્થાને અસર થાય છે અને અવ્યવસ્થા સર્જાય છે. જેના કારણે દૂર દૂરથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

મહારાષ્ટ્ર વિધાનસભા સત્રના આખરી દિવસે અજીત પવાર શા માટે એવું બોલ્યા, ‘અમે કૂતરા, બિલાડી અને મરઘાનું પ્રતિનિધિત્વ કરતા નથી’

આ પણ વાંચોઃ

રિટર્ન ફાઈલ કરવા માટે બાકી રહ્યા છે માત્ર 3 દિવસ, ટેક્સ વિભાગે અત્યાર સુધી જાહેર કર્યું લગભગ 1.5 લાખ કરોડનું રિફંડ

Next Article