સરકાર સામે લડી લેવાના મૂડમાં ટ્વિટર, કંપનીએ કોર્ટમાં કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ખોટો

Twitter VS Government: સરકાર વિરુદ્ધ ટ્વિટરે કર્ણાટક હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ટ્વિટરે કર્ણાટક હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરીને સરકારના આદેશને રદ કરવાની દાદ માંગી છે.

સરકાર સામે લડી લેવાના મૂડમાં ટ્વિટર, કંપનીએ કોર્ટમાં કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ખોટો
Twitter vs. Government (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 8:00 AM

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે (Twitter) તેના પ્લેટફોર્મ પરથી કેટલીક સામગ્રી હટાવવાના ભારત સરકારના (Government of India) નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. તે ધ્યાનમાં આવ્યું છે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ ફેબ્રુઆરી 2021 અને 2022 વચ્ચે ટ્વિટર પર એકાઉન્ટ્સ અથવા ટ્વીટ્સને બ્લોક કરવા માટે 10 આદેશો જાહેર કર્યા હતા. સરકારે ટ્વિટરને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69 (એ) હેઠળ 1400 એકાઉન્ટ્સ અને 175 ટ્વીટ્સ દૂર કરવા કહ્યું હતું. જે બાદ ટ્વિટર આ આદેશને પડકારતી અરજી સાથે કર્ણાટક હાઈકોર્ટમાં (Karnataka High Court) પહોંચ્યું છે.

ટ્વિટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, કંપનીએ માંગણી કરી છે કે મંત્રાલયે જે એકાઉન્ટ્સ અથવા ટ્વીટ્સને હટાવવાનું કહ્યું છે તેમાંથી 39 એકાઉન્ટ્સને બ્લોક ના કરવા જોઈએ. આને લગતા સરકારી આદેશો રદ કરવા જોઈએ. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અરજીમાં ટ્વિટરે કોર્ટને કહ્યું છે કે મંત્રાલયે કંપનીને જાણ કર્યા વિના સમગ્ર એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ જાહેર કરી રહ્યું છે. આ એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલી ટ્વીટ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું છે કે, ‘ઘણા URL છે જેમાં રાજકીય અને પત્રકારત્વની સામગ્રી છે. આવી માહિતીને દૂર કરવી એ પ્લેટફોર્મ પર આપવામાં આવેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઘોર ઉલ્લંઘન છે.

સરકારના આદેશને મનસ્વી ગણાવ્યો

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે ઘણા કિસ્સાઓમાં, મંત્રાલયે બ્લોક કરવાનો આદેશ પસાર કરતી વખતે યોગ્ય કારણો આપ્યા નથી, જે કલમ 69(a) હેઠળ જરૂરી છે. ટ્વિટરે તેની અરજીમાં કહ્યું છે કે તેણે માંગ કરી છે કે ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરવા માટેના કોર્ટના અગાઉના આદેશોને બાજુ પર રાખવામાં આવે, કારણ કે સરકારે જે આદેશ આપ્યા છે તે આઇટી એક્ટની કલમ 69(એ)ના આધારે “ખોટા” છે. અમુક ઓર્ડરોને “ગેરબંધારણીય” ગણાવતા, કંપનીએ કહ્યું છે કે, ‘આદેશોને આ આધાર પર પડકારવામાં આવ્યા છે કે તે કલમ 69A સાથે નોંધપાત્ર રીતે સુસંગત નથી, મનસ્વી છે, વપરાશકર્તાઓને અગાઉની માહિતી આપવામાં નિષ્ફળ જાય છે અને ઘણી બાબતોમાં અસંગત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">