AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: પશ્ચિમ બંગાળની ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6 લોકોના મોત, બિલ્ડીંગ ધરાશાયી

પશ્ચિમ બંગાળના જગન્નાથપુર ઉત્તર 24 પરગણા વિસ્તારમાં દત્તાપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે. સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

West Bengal: પશ્ચિમ બંગાળની ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6 લોકોના મોત, બિલ્ડીંગ ધરાશાયી
West Bengal
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 2:30 PM
Share

West Bengal News: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રવિવારે સવારે દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જગન્નાથપુર ગામની છે. આ વિસ્ફોટથી એટલો જબરદસ્ત હતો કે ફેક્ટરીની ઇમારત આખે આખી ધારાશાયી થઈ ગઈ છે. ચારે બાજુ કાટમાળ ફેલાય ગયો છે. આખી ઇમારત પત્તાના ઢેરની જેમ તૂટી પડી હતી. પોલીસે કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવી રહી છે. સ્થળ પર કૂલિંગની કામગીરી ચાલી રહી છે. બ્લાસ્ટને કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા.

પોલીસ લાગી કામે

પોલીસનું કહેવું છે કે મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે. ફટાકડાની ફેક્ટરી અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ફટાકડાની ફેક્ટરીનું લાઇસન્સ હતું કે નહીં? આની ખાતરી કરવામાં આવી રહી છે. ફટાકડાની ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો હતા તે જાણી શકાયું નથી.

પોલીસે જણાવ્યું કે કોલકાતાથી લગભગ 30 કિમી ઉત્તરે આવેલા દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નીલગંજના મોશપોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા ત્યારે સવારે 10 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો.

મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે

મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના જગન્નાથપુર ઉત્તર 24 પરગણા વિસ્તારમાં દત્તાપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે. સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ દતપુકુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.

વિસ્ફોટના કારણે 100થી વધુ મકાનોમાં તિરાડો પડી

જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે 100 થી વધુ ઘરોમાં તિરાડો પડી ગઈ છે. અનેક મકાનોની છત અને દિવાલોને નુકસાન થયું છે. સ્થાનિકોનું કહેવું છે કે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે ગેરકાયદેસર ફેક્ટરી તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની મદદથી ચાલી રહી હતી. તે જ સમયે, વિસ્ફોટ પછી સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોએ પોલીસ સામે જોરદાર પ્રદર્શન કર્યું.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">