PM Narendra Modi : આ વર્ષે PM નો જન્મદિવસ બનશે ખાસ, 20 દિવસના અભિયાન સાથે ઉજવાશે જન્મદિવસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત 20 દિવસના અભિયાનના ભાગરૂપે બીજેપી કાર્યકર્તાઓ 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની (Mahatma Gandhi) જન્મજયંતિએ વિશાળ સ્વચ્છતા અભિયાન ચલાવશે.

PM Narendra Modi : આ વર્ષે PM નો જન્મદિવસ બનશે ખાસ, 20 દિવસના અભિયાન સાથે ઉજવાશે જન્મદિવસ
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 12:16 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (BJP) 17 સપ્ટેમ્બરના રોજ 20 દિવસનું “સેવા અને સમર્પણ” અભિયાન શરૂ કરશે. જે અભિયાન અંતર્ગત વિવિધ કલ્યાણ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2014 માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ભાજપ તેમનો જન્મદિવસ ‘સેવા દિવસ’ તરીકે ઉજવે છે અને એક સપ્તાહ માટે દેશભરમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ વખતે 20 દિવસ આ અભિયાન (Campaign) ચલાવવામાં આવશે, કારણ કે મોદી રાજકારણમાં બે દાયકા પૂર્ણ કરી રહ્યા છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ અભિયાન માટે પક્ષના કાર્યકર્તાઓને આપી સુચના

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ અભિયાનના ભાગરૂપે આરોગ્ય અને રક્તદાન શિબિરોનું આયોજન કરવા અને ગરીબોને રાશન વિતરણ કરવા પક્ષના કાર્યકર્તાઓને સૂચનાઓ આપી છે. તેમણે ભાજપના તમામ રાજ્ય એકમોને જણાવ્યુ હતુ કે, કોવિડ -19 પ્રોટોકોલને અનુસરીને કલ્યાણ કાર્યો હાથ ધરવામાં આવશે. ઉપરાંત નડ્ડાએ (J P Nadda) પાર્ટી કાર્યકર્તાઓને રસીકરણ (Vaccination) અભિયાનને સરળ બનાવવા માટે રસીકરણ શિબિરોની મુલાકાત લેવા પણ જણાવ્યુ છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

તમને જણાવી દઈએ કે, અભિયાનના ભાગરૂપે બીજેપી કાર્યકર્તાઓ 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મજયંતિએ વિશાળ સ્વચ્છતા અભિયાન ચલાવશે અને લોકોને ખાદી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

ભાજપના કાર્યકરો પાંચ કરોડ પોસ્ટકાર્ડ મોકલશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ભાજપના કાર્યકરો પાંચ કરોડ પોસ્ટકાર્ડ પણ મોકલશે, જેમાં ઉલ્લેખ કરવામાં આવશે કે તેઓ જાહેર સેવા માટે પોતાને સમર્પિત કરી રહ્યા છે. ઉપરાંત પાર્ટીએ કાર્યકરોને મોદી દ્વારા મળેલી ભેટોની હરાજી જાહેર કરવા પણ જણાવવામાં આવ્યુ છે. ભાજપના કિસાન મોરચા પણ મોદીના જન્મદિવસને (PM Modi Birthday) દેશના દરેક જિલ્લામાં ‘કિસાન જવાન સન્માન દિવસ’ તરીકે ઉજવશે. આ પહેલ હેઠળ ખેડૂતોના પરિવારોનું સન્માન કરવામાં આવશે.

આ પણ વાંચો: New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર

આ પણ વાંચો:  Haryana : ભૂતપૂર્વ CM ઓપી ચૌટાલાએ ધોરણ 10માં અંગ્રેજી વિષયની પરીક્ષા કરી પાસ, જાણો કેટલા માર્કસ મેળવ્યા !

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">