Manipur: મણિપુર હિંસામાં માનવ ઢાલનો ઉપયોગ થવાની આશંકા, CMએ કહ્યું- 40 આતંકવાદીઓ માર્યા ગયા

રાજ્ય સચિવાલયમાં મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે કુકી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ નાગરિકો સામે M-16 અને AK-47 એસોલ્ટ રાઇફલ્સ અને સ્નાઈપર ગનનો ઉપયોગ કરી રહ્યા છે.

Manipur: મણિપુર હિંસામાં માનવ ઢાલનો ઉપયોગ થવાની આશંકા, CMએ કહ્યું- 40 આતંકવાદીઓ માર્યા ગયા
Manipur violence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 12:50 PM

Manipur: મણિપુરના ઘણા ભાગોમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે ઘરોમાં આગચંપી અને નાગરિકો પર ગોળીબારમાં સામેલ લગભગ 40 સશસ્ત્ર આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા છે. ત્યારે આ દરમિયાન, સેનાએ કહ્યું કે આતંકવાદીઓ વચ્ચેની વાતચીતમાંથી એવો સંદેશ મળ્યો છે કે તેઓ મણિપુરને નષ્ટ કરવા માટે આયોજિત હુમલામાં “માનવ ઢાલ” નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો: Breaking News: મધ્યપ્રદેશમાં ભારતીય વાયુસેનાના Apache helicopterનું ઈમરજન્સી લેન્ડિંગ

આ આશંકા બાદ સેનાએ ટ્વીટ કરીને ચેતવણી વ્યક્ત કરી હતી. ટ્વીટમાં સેના વતી લખવામાં આવ્યું છે કે, તમે સંપૂર્ણ દેખરેખ હેઠળ છો. નાપાક ષડયંત્ર હોવા છતાં, ભારતીય સેના શાંતિ પુનઃસ્થાપિત કરવા અને લોકોને મૈત્રીપૂર્ણ અભિગમ અપનાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

કુકી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ- મુખ્યમંત્રી

રાજ્ય સચિવાલયમાં મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે કુકી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ નાગરિકો સામે M-16 અને AK-47 એસોલ્ટ રાઇફલ્સ અને સ્નાઈપર ગનનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ દ્વારા ઘણા ગામડાઓમાં ઘર બાળવામાં આવ્યા હતા. અમે સેના અને અન્ય સુરક્ષા દળોની મદદથી તેમની સામે ખૂબ જ મજબૂત કાર્યવાહી શરૂ કરી છે.

મુખ્યમંત્રીએ આ સમયગાળા દરમિયાન 40 સશસ્ત્ર આતંકવાદીઓના મોતની માહિતી આપી છે. આ દરમિયાન, મુખ્યમંત્રીએ લોકોને સુરક્ષા કર્મચારીઓની અવરજવરમાં અવરોધ ન લાવવા અપીલ કરી અને તેમને “સરકારમાં વિશ્વાસ રાખવા અને સુરક્ષા દળોને ટેકો” આપવા વિનંતી કરી.

ઇમ્ફાલમાં બીજેપી ધારાસભ્યના ઘરે તોડફોડ કરવામાં આવી

અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરની હિંસા રવિવારની વહેલી સવારે શરૂ થઈ હતી જ્યારે સેનાએ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે સમુદાયોને નિઃશસ્ત્ર કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ખ્વૈરકપમ રઘુમણિ સિંહના ઘરની તોડફોડ કરવામાં આવી હતી અને ઇમ્ફાલ પશ્ચિમમાં ઉરીપોક ખાતે તેમના બે વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, એમ એક ટોચના સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે ઇમ્ફાલ ખીણની આસપાસના વિવિધ જિલ્લાઓમાં વહેલી સવારે અનેક સ્થળોએ અથડામણ થઈ હતી. અધિકારીએ કહ્યું, “અમારી માહિતી મુજબ, કાકચિંગમાં સુગનુ, ચુરાચંદપુરમાં કંગવી, ઇમ્ફાલ પશ્ચિમમાં કંગચુપ, ઇમ્ફાલ પૂર્વમાં સગોલમંગ, બિશેનપુરમાં નુંગોઇપોકપી, ઇમ્ફાલ પશ્ચિમમાં ખુરખુલ અને કાંગપોકપીમાં YKPIથી ફાયરિંગની જાણ કરવામાં આવી છે.”

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">