AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનમાર્ગથી દ્રાસને જોડતી ઝોજિલા ટનલ 2024 સુધીમાં થઈ જશે તૈયાર

સોનમાર્ગથી દ્રાસને જોડતી ઝોજિલા ટનલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે અને 2024 સુધીમાં આ ટનલનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે.

સોનમાર્ગથી દ્રાસને જોડતી ઝોજિલા ટનલ 2024 સુધીમાં થઈ જશે તૈયાર
Zojila tunnel
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 4:22 PM
Share

સોનમાર્ગથી દ્રાસને જોડતી ઝોજિલા ટનલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે અને 2024 સુધીમાં આ ટનલનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રવિવારે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 14.5 કિમી લાંબા ઝોજિલા ટનલ ઐતિહાસિક પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને તેનું નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રસ્તાવ છે.

જો કે, અગાઉ ઝોજિલા ટનલનું નિર્માણ સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હતું, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. જે પછી ડિસેમ્બર 2023 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે નવી સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.

ટનલ બન્યા બાદ 3.5 કલાકની મુસાફરી 15 મિનિટમાં પૂર્ણ થશે

અત્યાર સુધી શ્રીનગરથી કારગીલનું અંતર કાપવામાં 3.5 કલાકનો સમય લાગતો હતો, પરંતુ આ ટનલનું નિર્માણ પૂર્ણ થયા બાદ 3.5 કલાકની મુસાફરી 15 મિનિટમાં પૂર્ણ થશે. આ સુરંગના નિર્માણની માંગ આઝાદી પહેલા કરવામાં આવી છે, જો કે તે સમયે અંગ્રેજોએ તેના પર વિચાર કર્યો હતો, પરંતુ તે દરમિયાન આ યોજના જમીન પર ઉતરી શકી ન હતી.

ટનલના નિર્માણ બાદ શ્રીનગર અને કારગિલ વચ્ચે આખા વર્ષ દરમિયાન રોડ કનેક્ટિવિટી જળવાઈ રહેશે

3,528 મીટરની ઉંચાઈ પર સ્થિત, ઝોજિલા પાસ શિયાળા દરમિયાન ભારે હિમવર્ષા અને હિમપ્રપાતને કારણે વર્ષમાં 6-7 મહિના (નવેમ્બરથી મે સુધી) બંધ રહે છે. આ કારણે શ્રીનગર અને કારગિલ વચ્ચેનો રોડ કનેક્ટિવિટી કપાઈ ગઈ છે, પરંતુ એકવાર બાંધકામ પૂર્ણ થઈ જાય, આ ટનલ શ્રીનગર અને કારગિલ વચ્ચે આખું વર્ષ રોડ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે. તે જ સમયે, આ ટનલ પ્રોજેક્ટ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. આ વિસ્તાર નિયંત્રણ રેખા (LoC)ની નજીક હોવાને કારણે સુરંગને કારણે સેના ટુંક સમયમાં LoC સુધી પહોંચી શકશે.

આ પણ વાંચો: Bank of Baroda Recuirtment 2021: આ બેંકમાં ડેવલપર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC NDA NA Result: UPSC NDA લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર, અહીં કરો ડાઉનલોડ

g clip-path="url(#clip0_868_265)">