કોરોના મહામારીએ ભારતના લોકોની ઘટાડી ઉંમર, IIPSના અભ્યાસમાં થયો ચોંકાવનારો દાવો

|

Oct 23, 2021 | 5:56 PM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ માર્ચ 2020થી અત્યાર સુધી કોવિડ-19ના કારણે 4.5 લાખ લોકોના મોત થયા છે. જોકે, ડેટા નિષ્ણાંતોનું કહેવું છે કે આ આંકડા માત્ર 4.5 લાખ નથી, પરંતુ તેનાથી વધારે છે.

કોરોના મહામારીએ ભારતના લોકોની ઘટાડી ઉંમર,  IIPSના અભ્યાસમાં થયો ચોંકાવનારો દાવો

Follow us on

ભારતમાં સરેરાશ આયુષ્ય (Life Expectancy) કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે લગભગ બે વર્ષ ઓછું થઈ ગયું છે. આ બાબતની જાણકારી મુંબઈમાં ઈન્ટરનેશલ ઈન્સ્ટીટ્યુટ ફોર પોપ્યુલેશન અભ્યાસ (IIPS)ના વૈજ્ઞાનિકોએ આંકડાકીય વિશ્લેષણના આધાર પર આપી છે.

 

આઈઆઈપીએસના આસિસટન્ટ પ્રોફેસર સૂર્યકાંત યાદવે જણાવ્યું કે પુરૂષો અને મહિલાઓ માટે જન્મ સમયે આયુષ્ય 2019માં 69.5 વર્ષ અને 72 વર્ષથી ઘટીને 2020માં સરેરાશ 67.5 વર્ષથી 69.8 વર્ષ થયું છે. જીવન આયુષ્ય અથવા લાઈફ એક્સપેક્ટેન્સી એક ઉંમર બાદ જીવનમાં બચેલા વર્ષોની સરેરાશ સંખ્યા છે. આ એક વ્યક્તિની એવરેજ જીવનકાળનું અનુમાન હોય છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

નવા સંશોધનમાં જીવનકાળમાં અસમાનતાની લંબાઈ (વસ્તી અંદર જીવનની અવધિમાં વિવિધતા) પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે અને જાણવા મળ્યુ કે 35-69 ઉંમર વર્ગના પુરૂષો પર કોવિડની અસર સૌથી વધુ હતી. અભ્યાસમાં કહેવામાં આવ્યું કે 35-79 ઉંમર વર્ગમાં સામાન્ય વર્ષોની સરખામણીએ 2020માં કોવિડ સંક્રમણના કારણે વધારે મોત થયા અને 35-69 ઉંમર વર્ગના તેમાં સૌથી વધુ ભાગ રહ્યો છે.

 

ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં થયા સૌથી વધુ મોત

IIPSનો આ અભ્યાસ દેશમાં કોરોનાથી થનાર મૃત્યુ દર (Covid Deaths)ની પેટર્નને જોવા માટે કંડક્ટ(આચરણ) કર્યું હતું. દુનિયાભરમાં કોવિડ-19ને લઈ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી વધુ મોત થયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ માર્ચ 2020થી અત્યાર સુધી કોવિડ-19ના કારણે 4.5 લાખ લોકોના મોત થયા છે. જોકે ડેટા નિષ્ણાંતોનું કહેવું છે કે આ આંકડા માત્ર 4.5 લાખ નથી, પરંતુ તેનાથી વધારે છે.

 

આઈઆઈપીએસના વૈજ્ઞાનિકોએ વિશ્લેષણ માટે 145-નેશન ગ્લોબલ બર્ડન ઓફ ડિઝીઝ (Nation’s Global Burden of Disease) અભ્યાસ સાથે સાથે કોવિડ ઈન્ડિયા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ API પોર્ટલ દ્વારા એકત્રિત ડેટાનો પણ ઉપયોગ કર્યો છે. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે જ્યાં સુધી મૃત્યુ દર પર અસરની બાબત છે. ભારતમાં બે વર્ષનો ઘટાડો થયો છે. તેને ધ્યાને લેતા આ બાબતે ભારત મધ્યમાં રહ્યું છે.

 

નવા તબક્કામાં પરત આવવા માટે લાગશે અનેક વર્ષ

ભારતની સરખામણીએ અમેરિકા, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જન્મના સમયે જીવન આયુષ્યમાં એક વર્ષથી વધુનો ઘટાડો આવ્યો છે. યાદવે કહ્યું કે જીવન આયુષ્યના આંકડાને વધારવા માટે ગત વર્ષમાં જે પણ પ્રયત્નો કરવામાં આવ્યા તેના પર કોવિડ-19ના અસરથી તમામ પ્રયત્ન પર પાણી ફરી વળ્યું. જન્મના સમયે ભારતમાં જીવન આયુષ્ય હવે એવું જ છે જેવું 2010માં હતું. આપણે નવા તબક્કામાં પરત આવવા માટે હવે વર્ષો લાગી જશે.

 

આ પણ વાંચો: 14 વર્ષ બાદ માચિસના ભાવમાં થશે વધારો, 1 ડિસેમ્બરથી માસિચનો ભાવ થશે ડબલ

 

આ પણ વાંચો: કોરોના હજુ ખતમ થયો નથી, જાણો નિષ્ણાંતોનો શું છે મત

Next Article