AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thackeray Family Tree : જાણો ઠાકરે પરિવારની રાજનીતિ અને પરિવાર વિશે

બાળાસાહેબના પરિવારની વાત કરીએ બાળાસાહેબ ઠાકરેના લગ્ન મીના ઠાકરે સાથે થયા હતા. બાલા અને મીનાને ત્રણ બાળકો હતા. તેમાંથી બિંદુમાધવ ઠાકરે, જયદેવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે

Thackeray Family Tree : જાણો ઠાકરે પરિવારની રાજનીતિ અને પરિવાર વિશે
| Updated on: Jan 23, 2025 | 9:27 AM
Share

ચાલો જાણીએ કે ઠાકરે પરિવારના કયા સભ્યોએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી દીધો છે? પરિવારના લોકો કોણ છે અને બાળાસાહેબ ઠાકરે સાથે તેમનો શું સંબંધ હતો? બાળાસાહેબ ઠાકરેથી શરૂઆત કરીએ. બાળાસાહેબ ઠાકરેનો જન્મ 23 જાન્યુઆરી 1926ના રોજ પુણેમાં થયો હતો. પિતાનું નામ પ્રબોધનકર ઠાકરે અને માતાનું નામ રમાબાઈ ઠાકરે હતું.

પ્રબોધંકર ઠાકરેનું સાચું નામ કેશવ સીતારામ ઠાકરે હતું. તેમણે અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા, બાળ લગ્ન અને દહેજ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના મુખ્ય નેતાઓમાંના એક હતા, જેમણે મહારાષ્ટ્રના ભાષાકીય રાજ્યત્વ માટે સફળતાપૂર્વક ઝુંબેશ ચલાવી હતી. આ સાથે પ્રબોધંકર લેખક પણ હતા.

Thackeray family Tree Thackeray family is powerful political families in the Indian state of Maharashtra

હવે બાળાસાહેબના પરિવારની વાત કરીએ

બાળાસાહેબ ઠાકરેના લગ્ન મીના ઠાકરે સાથે થયા હતા. બાલા અને મીનાને ત્રણ બાળકો હતા. તેમાંથી બિંદુમાધવ ઠાકરે, જયદેવ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે.

1. બિંદુમાધવ ઠાકરે : બાળાસાહેબના સૌથી મોટા પુત્ર બિંદુમાધવ ઠાકરે હતા. બિંદુ માધવનું 20 એપ્રિલ 1996ના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 42 વર્ષની હતી. ઘટના સમયે બિંદુમાધવ, તેની પત્ની માધવી, પુત્ર નિહાર, પુત્રી નેહા રજાઓ બાદ લોનાવલથી પરત ફરી રહ્યા હતા. તેની સાથે બે બોડીગાર્ડ અને એક ડ્રાઈવર પણ હતો. બિંદુમાધવ ફિલ્મ નિર્માતા હતા. તેમને રાજકારણમાં રસ નહોતો. બિંદુમાધવના પુત્ર નિહારના લગ્ન મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન હર્ષવર્ધન પાટીલની પુત્રી સાથે થયા હતા. નેહાના પતિ ડૉ.મનન ઠક્કર મુંબઈના પ્રખ્યાત ડૉક્ટર છે.

2. જયદેવ ઠાકરે : બિંદુમાધવ પછી હવે જયદેવ ઠાકરેનો વારો છે. સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતા જયદેવ ઠાકરે પિતાના મૃત્યુ સમયે જાહેરમાં દેખાયા હતા. આ પછી પરિવાર સાથે પ્રોપર્ટીના વિવાદને કારણે તે હેડલાઇન્સમાં રહ્યા હતા. જોકે બાદમાં તેણે કેસ પાછો ખેંચી લીધો હતો. બાળાસાહેબે તેમની વસિયતમાં જયદેવને કંઈ આપ્યું ન હતું. જયદેવે વસિયતને ખોટી ગણાવીને કહ્યું કે તેમના પિતા “સારા મનની સ્થિતિમાં ન હતા” અને ભાઈ ઉદ્ધવ ઠાકરેનો તેમના પર પ્રભાવ હતો.

સ્મિતા એક સામાજિક કાર્યકર અને ફિલ્મ નિર્માતા

જયદેવે ત્રણ લગ્ન કર્યા. પહેલા લગ્ન જયશ્રી કેલકર સાથે થયા હતા. જેની સાથે તેમને એક પુત્ર જયદીપ છે. તેમના બીજા લગ્ન સ્મિતા ઠાકરે સાથે થયા. સ્મિતા એક સામાજિક કાર્યકર અને ફિલ્મ નિર્માતા છે. તે રાહુલ પ્રોડક્શન્સ અને મુક્તિ ફાઉન્ડેશનની ચેરપર્સન અને સ્થાપક છે. તેની સંસ્થા મહિલા સુરક્ષા, HIV/AIDS જાગૃતિ અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરે છે.

સ્મિતા ઘણીવાર બોલિવૂડ પાર્ટીઓમાં પણ જોવા મળે છે. સ્મિતા અને જયદેવને રાહુલ અને ઐશ્વર્યા નામના બે પુત્રો છે. જોકે, 2004માં સ્મિતા અને જયદેવે છૂટાછેડા લીધા હતા. સ્મિતા સાથેના છૂટાછેડા પછી જયદેવ અને બાળાસાહેબ ઠાકરેના સંબંધો બગડ્યા હતા. આ છૂટાછેડા પછી, સ્મિતા તેના સાસરિયાં સાથે માતોશ્રીમાં રહેવાનું ચાલુ રાખ્યું. ત્યાં જયદેવ પરિવારથી અલગ રહેવા લાગ્યો. છૂટાછેડા પછી જયદેવે અનુરાધા સાથે ત્રીજી વાર લગ્ન કર્યા. અનુરાધા અને જયદેવને એક પુત્રી માધુરી છે. સ્મિતા, જયદેવ અને તેમના બાળકો પહેલેથી જ એકનાથ શિંદેને તેમનો ટેકો આપી ચૂક્યા છે.

3. ઉદ્ધવ ઠાકરે : ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબના સૌથી નાના પુત્ર છે. જેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઉદ્ધવના લગ્ન રશ્મિ ઠાકરે સાથે થયા છે. રશ્મિ શિવસેનાના સંગઠનમાં પણ સક્રિય રહી છે. ઉદ્ધવના મોટા પુત્ર આદિત્ય ઠાકરે તેમની સરકાર દરમિયાન મંત્રી હતા. આદિત્ય વર્લીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આદિત્યનો નાનો ભાઈ તેજસ તેના પિતાની જેમ ફોટોગ્રાફીનો શોખીન છે. તેજસના રાજકારણમાં જોડાવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી છે.

16 વર્ષ પહેલા રાજ કાકાથી અલગ રસ્તે ચાલ્યા

ઠાકરે પરિવારના પ્રખ્યાત નામોમાં રાજ ઠાકરેનું નામ પણ આવે છે. રાજે 16 વર્ષ પહેલા શિવસેનાથી અલગ થઈને નવો પક્ષ બનાવ્યો હતો. રાજના પિતા શ્રીકાંત ઠાકરે હતા. શ્રીકાંત બાળાસાહેબના ભાઈ હતા. રાજની પત્નીનું નામ શર્મિલા ઠાકરે છે. રાજ અને શર્મિલાને બે બાળકો છે. પુત્ર અમિત ઠાકરે અને પુત્રી ઉર્વશી ઠાકરે. અમિત રાજકારણમાં સક્રિય છે, જ્યારે પુત્રી ઉર્વશીએ બોલિવૂડમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">