AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Assembly Election 2021: AIADMK-BJPની સરકાર આઉટ, DMK-INC ઈન, એમ.કે.સ્ટાલિન મુખ્યમંત્રી બનશે

Tamil Nadu Assembly Election 2021: તમિલનાડુમાં એમ.કે.સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 11.15 વાગ્યા સુધીમાં 234માંથી 133 સીટો પર સરસાઈ મેળવી લીધી છે.

Tamil Nadu Assembly Election 2021: AIADMK-BJPની સરકાર આઉટ, DMK-INC ઈન, એમ.કે.સ્ટાલિન મુખ્યમંત્રી બનશે
| Updated on: May 02, 2021 | 5:28 PM
Share

Tamil Nadu Assembly Election 2021: તમિલનાડુમાં એમ.કે.સ્ટાલિનનો જાદુ ચાલી ગયો છે. દ્રવિડ રાજનીતિના પુરોગામી ડીએમકેના ગઠબંધને સવારે 11.15 વાગ્યા સુધીમાં 234માંથી 133 સીટો પર સરસાઈ મેળવી લીધી છે. ગત વિધાનસભા ચૂંટણીના મુકાબલે તેને 35થી 40 સીટોનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે AIADMK અને BJPના ગઠબંધનને 100 સીટોનો આંકડો સ્પર્શવામાં મુશ્કેલી નજરે પડી રહી છે.

જયલલિતા અને કરુણાનિધિના નિધન પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં અહીં મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. ઈ પલાનીસામીની ખુરશી ખતરામાં દેખાઈ રહી છે. પલાનીસામીની પાર્ટી AIADMK અત્યાર સુધીના રુઝાનોમાં બહુમતીના આંકડોઓથી ઘણી પાછળ જોવા મળી રહી છે. જો AIADMKની હાર થાય છે તો તેની નેગેટિવ અસર પાર્ટીના ભવિષ્ય પર પડે તેવી શકયતા છે. પાર્ટીમાં ફરીથી ફૂટ પડે તેવી શકયતા છે. જયલલિતા પછીથી જ AIADMKમાં બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું નથી. આ વખતે AIADMK અને BJP મળીને ચૂંટણીના મેદાનમાં હતા.

જયલલિતાની ખૂબ જ નજીકની ગણાતી શશિકલાને પાર્ટીના સિનિયર નેતાઓએ મુખ્યમંત્રી બનાવવાથી ઈન્કાર કર્યો તો તેના ભત્રીજા ટીટીવી દિનાકરને પોતાની અલગ પાર્ટી AMMK બનાવી લીધી. આ રીતે સરકારમાં ડેપ્યુટી CM રહેલા પનીરસેલ્વમ પણ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. હવે આ વખતે ચૂંટણી હાર્યા પછીથી ફરીથી પાર્ટીમાં ફૂટ પડી શકે છે. બીજી તરફ DMK અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનવાનુ લગભગ નક્કી જ છે. DMKના એમ કે સ્ટાલિન પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે.

તમિલનાડુમાં અનેક દાયકાઓ પછી પ્રથમવાર કરૂણાનિધિ અને જયલલિલતાની ગેરહાજરીમાં ચૂંટણી યોજાઈ. એવામાં DMKના આ દેખાવથી સ્ટાલિન આ બે દિગ્ગજો પછી રાજ્યના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત થઈ જશે. DMKના એમ.કે.સ્ટાલિન અને AIADMKના ટીટીવી દીનાકરન રાજ્યમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર મનાતા હતા.

2016માં બીજીવાર સીએમ બન્યા હતા જયલલિતા 234 સીટોવાળી તમિલનાડુ વિધાનસભામાં 2016માં AIADMKએ 134 સીટો પર જીત મેળવી હતી. તેના પછી જયલલિતા સતત બીજીવાર સીએમની ખુરશી પર બેઠા. ગત ચૂંટણીમાં કરૂણાનિધિની આગેવાનીમાં રહેલી ડીએમકેના ખાતામાં 98 સીટો આવી હતી.

પલાનીસ્વામી પાસે AIADMKની કમાન 5 ડિસેમ્બર, 2016ના રોજ જયલલિતાના નિધન પછી ઓ. પનીરસેલ્વમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, પરંતુ તેઓ માત્ર 73 દિવસ જ ખુરશી પર રહી શક્યા. 16 ડિસેમ્બર, 2017ના રોજ ઈ. પલાનીસ્વામી રાજ્યના સીએમ બન્યા. તેના પછીથી જ AIADMKની કમાન પલાનીસ્વામીના હાથમાં છે.

Follow Us
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">