AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SVAMITVA YOJANA: ગ્રામીણ અર્થતંત્રની મજબૂતીમાં કર્યો વધારો, રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવામાં આવશે: PM નરેન્દ્ર મોદી

SVAMITVA YOJANA: સામાજિક-આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા 24 એપ્રિલ, 2020 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા SVAMITVA યોજના શરૂ કરવામાં આવી હતી.

SVAMITVA YOJANA: ગ્રામીણ અર્થતંત્રની મજબૂતીમાં કર્યો વધારો, રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવામાં આવશે: PM નરેન્દ્ર મોદી
PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 4:30 PM
Share

SVAMITVA YOJANA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે, મિલકતની સ્પષ્ટ માલિકીની સ્થાપના માટેની સ્વામિત્વ યોજનાએ ગ્રામીણ અર્થતંત્રની મજબૂતાઈમાં વધારો કર્યો છે અને તે દેશના ગામોના વિકાસનો નવો અધ્યાય લખશે.

મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં વર્ચ્યુઅલ રીતે એક કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે કેટલાક રાજ્યોમાં પ્રાયોગિક ધોરણે SVAMITVA યોજનાના સફળ અમલીકરણ પછી, ગ્રામીણ વિસ્તારોના વિકાસને સુનિશ્ચિત કરવા માટે તેને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, તે દેશમાં ગ્રામ સ્વરાજનું ઉદાહરણ બનશે. સામાજિક-આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા 24 એપ્રિલ, 2020 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા SVAMITVA (Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના શરૂ કરવામાં આવી હતી.

આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનનું મેપિંગ અને પાત્રતા ધરાવતા પરિવારોને કાયદેસર માલિકી કાર્ડ (Property Card ) આપીને અધિકારોનો રેકોર્ડ પૂરો પાડીને મિલકતની સ્પષ્ટ માલિકીની સ્થાપના કરવાનો છે.

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકમાં આ યોજના સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવી હતી. પ્રાંધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવા માટે આખા દેશમાં લાગુ કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્વિતત્વ યોજના ગ્રામજનોને થર્ડ પાર્ટી પાસેથી નાણાં ઉધાર લેવાથી બચાવશે અને હવે, તેમની મિલકતના કાગળોના આધારે, તેઓ બેંકો પાસેથી લોન મેળવશે.

માલિકી યોજનાના ફાયદા આ યોજના સાથે દેશના ગામડાઓમાં લોકોને તેમની રહેણાંક જમીનના માલિકી હક આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનો હેતુ મિલકતની માલિકી નક્કી કરવાનો છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આ યોજના ગ્રામજનોને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ મદદ કરશે. જો કોઈ મિલકતને લઈને વિવાદ હોય તો જલ્દીથી તેનો ઉકેલ લાવવો શક્ય બનશે કારણ કે તમામ રેકોર્ડ ડિજિટલ રીતે નોંધાયેલા છે.

પ્રોપર્ટી કાર્ડ માટે અરજી કરવાની જરૂર નથી આ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. જલદી જ મેપિંગ, સર્વેનું કામ પૂર્ણ થશે, સરકાર પોતે જ તમામ લોકોને તેમની મિલકતનું કાર્ડ આપશે. ગ્રામ્ય સર્વે પૂર્ણ થયા બાદ પ્રાપ્ત ડેટા પંચાયતી રાજ મંત્રાલયના ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. આ પછી, પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું શરૂ થશે. આ પછી, જિલ્લા સ્તરે કેમ્પ સ્થાપીને જમીન માલિકોને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે. 

ગ્રામજનોને મિલકતના અધિકારો આપ્યા આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોના રહેવાસીઓને મિલકતના અધિકારો આપવાનો છે, લોકોને લોન અને અન્ય નાણાકીય લાભો લેવા માટે તેમની સંપત્તિનો નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરવા સક્ષમ બનાવીને આર્થિક સ્થિરતા લાવવાનો છે. આ ગ્રામીણ આયોજન અને મિલકત વેરાના આકારણી માટે જમીન રેકોર્ડ બનાવવા તરફ પણ દોરી જશે. સરકારને આશા છે કે આ યોજના મિલકત વિવાદો અને કાનૂની બાબતોમાં ઘટાડો કરશે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રા, લખીમપુર ખીરી હિંસા બાદ શાહ સાથે પ્રથમ મુલાકાત

આ પણ વાંચો: નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, કોમર્શિયલ ગરબા પર પ્રતિબંધ, ગરબા રમવા રસીકરણ ફરજિયાત : હર્ષ સંઘવી

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">