નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, કોમર્શિયલ ગરબા પર પ્રતિબંધ, ગરબા રમવા રસીકરણ ફરજિયાત : હર્ષ સંઘવી

આવતીકાલથી શરૂ થનારી નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે. લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે. જોકે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 3:48 PM

ગુજરાતી માટે નવરાત્રીનો તહેવાર અસ્થાનો તહેવાર છે. કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનું આયોજન થયું ન હતું. આ વખતે 400 લોકો સુધી ગરબાની છૂટ આપવામાં આવી છે. કોમર્શિયલ ગરબાની છૂટ આ વખતે નથી આપવામાં આવી. સાથે જ નવરાત્રિને લઇને 12 વાગ્યા સુધી કરફ્યુમાં પણ છૂટ આપવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન તમામ લોકો માટે નિયમો એક સરખા છે. આવનાર દિવસોમાં તહેવારો છૂટછાટ મળે એ માટે કોરોના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. રસી લીધી હોય એવા જ લોકો ગરબા રમે એવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે. આ વરસે GMDC ગ્રાઉન્ડ પર ગરબા નહીં થાય. આ સાથે જ મંત્રીએ કહ્યું કે નિયમાનુસાર જે ગરબા રમાશે એમાં પોલીસ તરફથી કોઈ અડચણ નહીં આવે એની હું ખાતરી આપું છું. પાર્ટીપ્લોટ હોલમાં અલગથી આયોજન કરી શકાશે નહીં.

આવતીકાલથી શરૂ થનારી નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે. લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે. જોકે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે. આ ઉપરાંત 400 જણાની મર્યાદામાં ગરબા જ નહીં, દુર્ગા પૂજા, શરદ પૂર્ણિમા અને દશેરાની ઉજવણી પણ રાત્રિના 12 વાગ્યા સુધી કરી શકાશે. મહત્વનું છે કે, નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, હોટેલ રાત્રિના 10 વાગ્યા સુધી જ શરૂ રહી શકશે. જોકે, કોરોનાના ડર વચ્ચે નવરાત્રિની ઉજવણી કેવી રહે છે તેને લઇને લોકો અનેક ચર્ચાઓ કરી રહ્યાં છે.

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">