Breaking News: વારાણસી: જ્ઞાનવાપી પરિસરમાં ASI સરવે શરૂ, મુસ્લિમ પક્ષે સરવેના બહિષ્કારની કરી જાહેરાત

અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી જ્ઞાનવાપી પર મોટો નિર્ણય આવ્યા બાદ કોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં ASIના સરવેને લીલી ઝંડી આપી દીધી છે. બીજી તરફ જ્ઞાનવાપી પરિસરમાં આજથી શરૂ થયેલ એએસઆઈનો સરવે પ્રથમ દિવસે બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Breaking News: વારાણસી: જ્ઞાનવાપી પરિસરમાં ASI સરવે શરૂ, મુસ્લિમ પક્ષે સરવેના બહિષ્કારની કરી જાહેરાત
survey Start on Gyanvapi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 7:53 AM

જ્ઞાનવાપી પરિસરને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જો તમે તેને મસ્જિદ કહો તો મુશ્કેલ થઈ જશે. અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી એ જ જ્ઞાનવાપી પર મોટો નિર્ણય આવ્યો છે, જેમાં કોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં ASIના સરવેને લીલી ઝંડી આપી દીધી છે. બીજી તરફ જ્ઞાનવાપી પરિસરમાં આજથી શરૂ થયેલ એએસઆઈનો સરવે પ્રથમ દિવસે બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. શુક્રવાર હોવાથી ટૂંક સમયમાં સરવે પૂર્ણ થશે. જો કે મુસ્લિમ પક્ષે આજથી શરૂ થતા ASI સરવેનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Ahmdebad: અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર થયો રક્તરંજિત, ખંજરના ઉપરાછાપરી ઘા મારી યુવકની કરાઈ કરપીણ હત્યા

હકીકતમાં આજે બપોરે જ્ઞાનવાપી પરિસરમાં શુક્રવારની નમાજ પણ અદા થવાની છે. બપોરે 12:30 વાગ્યાથી જ મસ્જિદમાં નમાજ પઢવા લાગે છે. આ સરવે આજે બપોરે 12:00 કલાકે પૂર્ણ થશે જેથી પૂજારીઓને કોઈ અગવડ ન પડે અને કોઈ વિવાદ ન સર્જાય.કોઈ અવરોધ ન આવે. જણાવી દઈએ કે ગયા વર્ષે યોજાયેલા કોર્ટ કમિશનના સરવેની કાર્યવાહી પણ આ સમયે થઈ હતી.

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

મુસ્લિમ પક્ષ સરવેનો બહિષ્કાર કરશે

બીજી તરફ જ્ઞાનવાપી પરિસરમાં આજથી શરૂ થતા ASI સરવેનો મુસ્લિમ પક્ષ બહિષ્કાર કરશે. મસ્જિદ કમિટીના કોઈપણ પદાધિકારી અથવા તેમના વકીલ સરવેની કાર્યવાહીમાં સામેલ થશે નહીં. સરવેક્ષણ સમયે, મસ્જિદમાં ફક્ત હાજર ઇમામ અને સ્ટાફ જ રહેશે. જણાવી દઈએ કે મુસ્લિમ પક્ષે પણ 24 જુલાઈના રોજ થોડા કલાકો માટે યોજાયેલા સરવેનો બહિષ્કાર કર્યો હતો. આ જાણકારી મસ્જિદ કમિટીના સચિવ એસએમ યાસીને આપી છે. આ સાથે લોકોને શાંતિ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી.

IIT કાનપુર નિષ્ણાતની મોટી ભૂમિકા

જ્ઞાનવાપીમાં આજથી શરૂ થનારા સરવેમાં IIT કાનપુરના નિષ્ણાતો પણ મોટી ભૂમિકા ભજવશે. IIT કાનપુરના નિષ્ણાત પ્રોફેસર જાવેદ મલિક પડદા પાછળથી સરવે ટીમને મદદ કરશે. જાવેદ મલિક IIT કાનપુરમાં અર્થ અને પ્લેનેટોરિયમ સાયન્સ વિભાગમાં પ્રોફેસર છે. આ દિવસોમાં તે વિદેશમાં છે. વિદેશમાં હોવાથી તે આ વખતે સરવેમાં સીધો ભાગ લઈ શકશે નહીં. તેમના સાથીઓની એક ટીમ પણ સરવે ટીમનો ભાગ હશે. જો જરૂર પડે તો પ્રોફેસર જાવેદ મલિક પણ વર્ચ્યુઅલ રીતે સરવે ટીમનો ભાગ બની શકે છે. એએસઆઈ દ્વારા હાઈકોર્ટમાં આપવામાં આવેલા સોગંદનામામાં આઈઆઈટી કાનપુરના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો હતો.

મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેની સુનાવણી આજે (શુક્રવારે) થશે. જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સરવેના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી બીજા દિવસે મુલતવી રાખવામાં આવી હતી. જોકે ASI સરવે શુક્રવારે સવારે શરૂ થવાનો છે અને સુનાવણી સવારે 10.30 વાગ્યા પછી જ થશે. આવી સ્થિતિમાં હાઈકોર્ટનો આદેશ અસરકારક છે, જેમાં જિલ્લા કોર્ટનો આદેશ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">