AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતના તક્ષશીલા જેવી ઘટના UP માં, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, 15 લોકોના મોત

લખનઉના અલીગંજમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા. જીવ બચાવવા કેટલાક વિદ્યાર્થીઓએ છત પરથી કૂદવાનો પ્રયાસ કર્યો. 15 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી.

Breaking News : સુરતના તક્ષશીલા જેવી ઘટના UP માં, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, 15 લોકોના મોત
| Updated on: Jun 22, 2026 | 7:14 PM
Share

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારના પુરાનિયા વિસ્તારમાં સોમવારે ભીષણ આગની ઘટના સામે આવી હતી. એક દુકાનમાં લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દુકાનની ઉપર આવેલા કોચિંગ સેન્ટર સુધી આગ અને ધુમાડો પહોંચતા અંદર હાજર વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ફસાઈ ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે લોકોને બહાર નીકળવાનો સમય પણ મળ્યો નહોતો. જીવ બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ બાલ્કની તેમજ છત પરથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

આગ પર કાબૂ મેળવવા પ્રયાસ

આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મદદ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનો આગ પર કાબૂ મેળવવા અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત કામગીરી કરી રહ્યા હતા.

અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, પોલીસ મહાનિર્દેશક (ફાયર) તેમજ લખનૌના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાખ જી. ઐય્યર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.

ઘણા લોકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા

બચાવ કામગીરી દરમિયાન, એક વ્યક્તિને ગંભીર હાલતમાં ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તેના શરીરમાં કોઈ દેખીતી હિલચાલ દેખાતી નહોતી. ભીના લાલ ધાબળામાં લપેટાયેલા અન્ય એક વ્યક્તિને પણ સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યો હતો અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બચાવકર્તાઓએ ત્રીજા વ્યક્તિને પણ સ્ટ્રેચર પર બહાર કાઢ્યા હતા અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, વહીવટીતંત્રે હજુ સુધી આ લોકોના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

આગ અકસ્માતમાં 15 લોકોના મોત

ઘટના બાદ ચૌદ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, બાળકો અને અન્ય લોકોની સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. અધિકારીઓનું કહેવું છે કે બચાવ કામગીરી પૂર્ણ થયા પછી અને તમામ ઘાયલોની સ્થિતિ સ્પષ્ટ થયા પછી જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. જોકે, કેટલાક લોકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હોવાને કારણે, મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાતી નથી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘટનાની તાત્કાલિક નોંધ લઈને અધિકારીઓને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ચેન્નાઈમાં ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ, 7 લોકોના મોત, 10થી વધુની હાલત ગંભીર

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">