AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રીમ કોર્ટે 40 વર્ષ બાદ વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો, જાણો કાયદાકીય ગૂંચવણોમાં કેવી રીતે બરબાદ થયું તેનું જીવન?

આ હત્યા પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં 11 માર્ચ, 1983ના રોજ થઈ હતી. મંડલને પોલીસે તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી કારણ કે તેમણે તેના 3 સાથી સામે તેની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પરંતુ 1987માં પૂરતા પુરાવાના અભાવે ટ્રાયલ કોર્ટે તેમને મુક્ત કર્યા હતા.

સુપ્રીમ કોર્ટે 40 વર્ષ બાદ વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો, જાણો કાયદાકીય ગૂંચવણોમાં કેવી રીતે બરબાદ થયું તેનું જીવન?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 12:44 PM
Share

સુપ્રીમ કોર્ટે નિખિલ ચંદ્ર મંડલ નામના વ્યક્તિને 40 વર્ષ પછી પત્નીની હત્યાના આરોપમાંથી મુક્ત કરી દીધો છે. નિખિલની 40 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળ પોલીસે હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. આ પછી 1987માં ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ માનીને છોડી દીધા હતા. પરંતુ વર્ષ 2008માં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો અને તેને આજીવન કેદની સજા ફટકારી.

40 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો

નિખિલ ચંદ્ર મંડલે હાઈકોર્ટના નિર્ણય સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા અને કહ્યું કે માત્ર કબૂલાતના નિવેદન એટલે કે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કબૂલાતના આધારે દોષિત ઠેરવી શકાય નહીં કારણ કે તે નક્કર પુરાવા નથી. છેલ્લા 40 વર્ષોમાં, મંડલનું જીવન કાયદાકીય ગૂંચવણોમાં બરબાદ થઈ ગયું હતું અને ન્યાય મેળવવા માટે લાંબી લડાઈ લડવી પડી હતી. હવે 40 વર્ષ બાદ તેમને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે.

ગ્રામજનોની સામે ગુનો કબૂલી લીધો

વાસ્તવમાં આ હત્યા પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં 11 માર્ચ, 1983ના રોજ થઈ હતી. મંડલને પોલીસે તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી કારણ કે તેમણે તેના 3 સાથી સામે તેની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પરંતુ 1987માં પૂરતા પુરાવાના અભાવે ટ્રાયલ કોર્ટે તેમને મુક્ત કર્યા હતા. આ પછી, કલકત્તા હાઈકોર્ટની બેન્ચે વર્ષ 2008માં નિખિલ મંડલને હત્યાનો દોષી માનીને આજીવન કેદની સજા ફટકારી હતી.

વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

વર્ષ 2009માં મંડલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની અપીલ જજ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચ સમક્ષ 14 વર્ષ પેન્ડિંગ રહી હતી. ખંડપીઠે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા મંડલને નિર્દોષ જાહેર કર્યો હતો. જસ્ટિસ ગવઈએ પોતાના ચુકાદામાં લખ્યું છે કે, આ કેસ સંપૂર્ણપણે સંજોગોવશાત્ પુરાવા પર આધારિત છે.

જસ્ટિસ ગવઈ અને કરોલે પણ પુરાવા તરીકે સાક્ષીઓના નિવેદનોને વિરોધાભાસી ગણાવ્યા હતા. ખંડપીઠે કહ્યું, આ કાયદાનો સ્થાયી સિદ્ધાંત છે કે શંકા ભલે ગમે તેટલી ઊંડી અને મજબૂત હોય, પુરાવાનું સ્થાન લઈ શકતી નથી. જ્યાં અસાધારણ કબૂલાત શંકાસ્પદ સંજોગોથી ઘેરાયેલી હોય છે, ત્યાં તેની વિશ્વસનીયતા શંકાસ્પદ બને છે અને તે તેનું મહત્વ ગુમાવે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">