Rajasthan: ખાટુશ્યામજીના મેળામાં થઈ નાસભાગ, અકસ્માતમાં ત્રણ મહિલાઓનાં મોત
સીકરમાં ખાટુશ્યામજી (khatushyamjji) માસિક મેળામાં ભાગદોડ મચી જવાથી ત્રણ મહિલાઓના મોત થયા હતા અને અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો.
રાજસ્થાનના (Rajasthan) સીકરમાં ખાટુશ્યામજીના (Khatushyamji) માસિક મેળામાં મોટો અકસ્માત થયો હતો. અહીં મેળામાં નાસભાગમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોમવારે સવારે 5 વાગે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ વધુ હોવાથી નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓ દબાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી.
પોલીસે તપાસ કરી શરૂ
અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલા પૈકી એક હિસારની હતી, જ્યારે અન્ય બેની ઓળખ થઈ શકી નથી. આ મામલામાં ઘાયલ 2 લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. જ્યારે એકની સારવાર ખાટુશ્યામજી સીએચસીમાં ચાલી રહી છે. ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Rajasthan | Three people died, several injured at Khatu Shyamji Temple in Sikar where a stampede occurred during a monthly fair, earlier this morning. Two injured people referred to a hospital in Jaipur. Police present at the spot. Further details awaited. pic.twitter.com/bgnL9sRr1j
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 8, 2022
મોડી રાતથી જ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી
ખાટુશ્યામજીમાં પુત્રા એકાદશીનો માસિક મેળો ભરાયો હતો, જેમાં દર્શન માટે મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટવા લાગ્યા હતા. દરમિયાન સવારની આરતી માટે દરવાજા બંધ કરવામાં આવતાં દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ભીડને કારણે 3 મહિલાઓના મોત થયા હતા.
Saddened by the loss of lives due to a stampede at the Khatu Shyamji Temple complex in Sikar, Rajasthan. My thoughts are with the bereaved families. I pray that those who are injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) August 8, 2022
પીએમ મોદીએ દુર્ઘટના પર કર્યો શોક વ્યક્ત
પીએમ મોદીએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં નાસભાગ મચી જવાથી થયેલી દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. અહીં, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં થયેલા અકસ્માત પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપી છે. સીએમએ ટ્વીટ કરીને લખ્યું કે, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં નાસભાગને કારણે 3 મહિલા ભક્તોના મોત ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મારી ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે, ભગવાન તેમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને દિવંગતના આત્માને શાંતિ આપે.