Rajasthan: ખાટુશ્યામજીના મેળામાં થઈ નાસભાગ, અકસ્માતમાં ત્રણ મહિલાઓનાં મોત

સીકરમાં ખાટુશ્યામજી (khatushyamjji) માસિક મેળામાં ભાગદોડ મચી જવાથી ત્રણ મહિલાઓના મોત થયા હતા અને અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો.

Rajasthan: ખાટુશ્યામજીના મેળામાં થઈ નાસભાગ, અકસ્માતમાં ત્રણ મહિલાઓનાં મોત
Khatushyamji stampede
Follow Us:
| Updated on: Aug 08, 2022 | 9:34 AM

રાજસ્થાનના (Rajasthan) સીકરમાં ખાટુશ્યામજીના (Khatushyamji) માસિક મેળામાં મોટો અકસ્માત થયો હતો. અહીં મેળામાં નાસભાગમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોમવારે સવારે 5 વાગે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ વધુ હોવાથી નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓ દબાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી.

પોલીસે તપાસ કરી શરૂ

અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલા પૈકી એક હિસારની હતી, જ્યારે અન્ય બેની ઓળખ થઈ શકી નથી. આ મામલામાં ઘાયલ 2 લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. જ્યારે એકની સારવાર ખાટુશ્યામજી સીએચસીમાં ચાલી રહી છે. ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મોડી રાતથી જ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી

ખાટુશ્યામજીમાં પુત્રા એકાદશીનો માસિક મેળો ભરાયો હતો, જેમાં દર્શન માટે મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટવા લાગ્યા હતા. દરમિયાન સવારની આરતી માટે દરવાજા બંધ કરવામાં આવતાં દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ભીડને કારણે 3 મહિલાઓના મોત થયા હતા.

પીએમ મોદીએ દુર્ઘટના પર કર્યો શોક વ્યક્ત

પીએમ મોદીએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં નાસભાગ મચી જવાથી થયેલી દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. અહીં, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં થયેલા અકસ્માત પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપી છે. સીએમએ ટ્વીટ કરીને લખ્યું કે, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં નાસભાગને કારણે 3 મહિલા ભક્તોના મોત ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મારી ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે, ભગવાન તેમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને દિવંગતના આત્માને શાંતિ આપે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">