Sri Lanka Crisis: શ્રીલંકા સંકટ પર ભારત સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, નિર્મલા સીતારમણ અને એસ જયશંકર કરશે બેઠકની અધ્યક્ષતા

કેન્દ્ર સરકારે રવિવારે ચોમાસુ સત્રને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ દરમિયાન DMK અને AIADMKએ શ્રીલંકાના સંકટ પર હસ્તક્ષેપની માંગ કરી હતી. આ માગને સ્વીકારી કેન્દ્ર સરકારે મંગળવારે ફરી સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

Sri Lanka Crisis: શ્રીલંકા સંકટ પર ભારત સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, નિર્મલા સીતારમણ અને એસ જયશંકર કરશે બેઠકની અધ્યક્ષતા
શ્રીલંકા સંકટ મુદ્દે મળશે સર્વપક્ષીય બેઠક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 6:21 PM

શ્રીલંકા (Sri Lanka) છેલ્લા ત્રણેક મહિનાથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર તળિયાજાટક થઈ ગયો છે. જેના કારણે દેશમાં ઉર્જા સંકટ પણ ઘેરુ બન્યુ છે. તો સાથે સાથે ખાદ્ય મોંઘવારી (Inflation) દર પણ નવી ઊંચાઈએ છે. જેના કારણે વર્તમાનમાં શ્રીલંકા રાજનીતિક અસ્થિરતાનો સામનો કરી રહ્યુ છે. હજુ થોડા દિવસ અગાઉ જ કોલંબોમાં ઉઠેલા જનઆક્રોશને કારણે તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) ને દેશ છોડવો પડ્યો હતો ત્યારબાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તો આ તમામ ઘટનાક્રમ વચ્ચે શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રકિયા શરૂ થઈ ગઈ છે. શ્રીલંકાની આ તમામ સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે અને આ મુદ્દે ચર્ચા માટે ભારત સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.

શ્રીલંકા સંકટ પર મંગળવારે મળશે સર્વપક્ષીય બેઠક

શ્રીલંકા સંકટ પર કેન્દ્ર સરકાર દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠક અંગે જાણકારી આપતા કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આ બેઠક 19 જુલાઈએ મળશે. તેની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ જયશંકર કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તમિલનાડુના રાજકીય પક્ષોની માંગ પર અમલ

કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે જ સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક ઉપરાંત કેન્દ્ર સરકારે મંગળવારે શ્રીલંકા સંકટ પર સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે, જે પણ ચોમાસુ સત્ર પહેલા મળશે. સંસદના ચોમાસુ સત્ર પહેલા રવિવારે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન, તમિલનાડુના બંને મુખ્ય રાજકીય પક્ષો DMK અને AIADMK એ પાડોશી દેશ શ્રીલંકામાં ભારતના હસ્તક્ષેપની માંગ કરી હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા NDA સમર્થિત DMKના નેતા એમ થમ્બીદુરાઈએ કહ્યું કે ભારતે શ્રીલંકા સંકટના સમાધાન માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. તો પાર્ટીના નેતા ટી.આર. બાલુએ પણ આ ટાપુ દેશની સ્થિતિના સમાધાનમાં ભારતના હસ્તક્ષેપની માંગ કરી હતી. જેના પગલે કેન્દ્ર સરકારે મંગળવારે શ્રીલંકા સંકટ પર સર્વપક્ષીય બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

મદદ કરવા બદલ શ્રીલંકાએ કરી ભારતની પ્રશંસા

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં હાલના દિવસોમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ છે. તો બીજી તરફ દેશમાં ઊર્જા સંકટ વધુ ઘેરુ બન્યુ છે. જેના કારણે સ્થાનિક લોકોને ત્રણ મહિના બાદ LPG ગેસની સપ્લાય કરવામાં આવી રહી છે. પેટ્રોલ ડીઝલની પણ ભારે અછત છે, પરંતુ ભારત શ્રીલંકાને દરેક રીતે મદદ કરી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા શ્રીલંકાના ઉર્જા મંત્રીએ ભારતની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે એકલુ શ્રીલંકાની મદદ કરી રહ્યુ છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">