Srilanka Crisis : શ્રીલંકાના વિપક્ષી નેતાએ ભારતીય મદદની કરી પ્રશંસા, જાણો શું કહ્યું પ્રેમદાસાએ?

શ્રીલંકાના (SRILANKA) વિપક્ષના નેતા સજીથ પ્રેમદાસાએ ભારતીય મદદની પ્રશંસા કરી છે.આગામી 20 જુલાઈના રોજ સંસદમાં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.

Srilanka Crisis : શ્રીલંકાના વિપક્ષી નેતાએ ભારતીય મદદની કરી પ્રશંસા, જાણો શું કહ્યું પ્રેમદાસાએ?
Premdasa appreciated India for help
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 3:54 PM

શ્રીલંકાના વિપક્ષના નેતા સજીથ પ્રેમદાસાએ (Sri Lankan LoP Sajith Premadasa)સંકટ સમયે ભારતે કરેલી મદદની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભારત સરકાર પાસેથી મદદ અને સમર્થન મેળવવાનું ચાલુ રાખશે. છેલ્લા ઘણા મહિનાઓથી શ્રીલંકા અનેક મોરચે આર્થિક સંકટનો(Sri Lanka Economic Crisis) સામનો કરી રહ્યું છે. દેશમાં ઈંધણ, રાંધણગેસ, ખોરાક અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત છે. ભારતે અત્યાર સુધીમાં શ્રીલંકાને 3.8 બિલિયન ડોલરની સહાય આપી છે. ત્યારે શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ બનવાની હરોળમાં પહેલુ નામ ધરાવતા પ્રેમદાસાએ કહ્યું કે, “અમે અમારા લોકોની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવામાં ભારત સરકારના (Indian Govt) સમર્થનની પ્રશંસા કરીએ છીએ.”

20 જુલાઈના રોજ નવી રાષ્ટ્રપતિની ચૂંટણી

તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં શ્રીલંકામાં(Srilanka)  ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા, જેના કારણે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ (Gotabaya Rajapaksa)રાજીનામું આપ્યું હતું. એટલું જ નહીં તે દેશ છોડીને તે સિંગાપુર ભાગી ગયો છે. પીએમ રાનિલ વિક્રમસિંઘે હવે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તમને જણાવવું રહ્યું કે, શ્રીલંકાની સંસદ 20 જુલાઈના રોજ રાષ્ટ્રપતિની પસંદગી કરશે, જે વિરોધીઓની પણ મુખ્ય માંગ છે.

મારી પાસે બહુમતીનું પ્રતિનિધિત્વ કરતી સંસદ : પ્રેમદાસા

પ્રેમદાસાએ કહ્યું કે રાષ્ટ્રપતિની પસંદગી માટે તેમની પાર્ટી પાસે 225 સાંસદો છે. તેમણે કહ્યું, સંસદ ગોટાબાયા રાજપક્ષેની વિધાયક બહુમતી બનાવે છે અને રાષ્ટ્રપતિ આ રચનામાંથી ચૂંટાશે. મેં મારું નામ આપ્યું છે, અને જુઓ શું થાય છે. અમે સંસદના તમામ સભ્યો સાથે વાત કરી રહ્યા છીએ.વધુમાં તેમણે કહ્યું કે વિજેતાએ ગ્રાસરૂટની વિચારસરણી સાથે સુસંગત હોવું જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમની પાસે બહુમતી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા નેતાએ કહ્યું, “અત્યારે અમારી પાસે સંસદ છે જે લોકોના બહુમતી અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતી નથી.”

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

શ્રીલંકાને આર્થિક સંકટમાંથી કઈ રીતે બહાર નીકળશે ?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ દેશને આર્થિક સંકટમાંથી (Srilanka Crisis) કેવી રીતે બહાર કાઢશે, તો વિપક્ષના નેતાએ કહ્યું કે તેમની પાસે ચોક્કસપણે આર્થિક દેવાને દૂર કરવાની યોજના છે. તેમણે કહ્યું કે, વિપક્ષ ત્રણ વર્ષથી સરકારને સલાહ વિના આર્થિક પગલા ન ઉઠાવવા માટે કહી રહ્યો છે. “તેઓએ ક્યારેય સાંભળ્યું નહીં અને તેથી આજે લોકો આપત્તિજનક સ્થિતિમાં છે.”

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">