Delhi Sero Survey : 97 ટકા લોકોમાં મળી એન્ટિબોડી, ટૂંક સમયમાં થશે નવો સર્વે, જાણો શું છે કારણ
સીરો સર્વે સેરોલોજી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટેસ્ટમાં વ્યક્તિના શરીરમાં ચોક્કસ સંક્ર્મણ સામે બનેલા એન્ટિબોડીઝની હાજરી શોધી કાઢવામાં આવે છે. આ ટેસ્ટમાં તે જોવામાં આવે છે કે શું વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિએ ઇન્ફેક્શન સામે લડયા છે કે નહીં.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Health Minister Satyendra Jain) ગુરુવારે જણાવ્યું હતું કે રાજધાનીમાં 97 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી છે. તેમણે કહ્યું કે તમામ જિલ્લાઓમાં 95 ટકાથી વધુ લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી છે.
સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે છઠ્ઠા સીરો સર્વેમાં (Sero Survey) સેમ્પલ લેવાનું કામ 24 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે સમગ્ર દિલ્હીમાંથી કુલ 28 હજાર સેમ્પલ લેવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈને કહ્યું કે દરેક જિલ્લામાંથી સેરો પોઝીટીવીટી રેટ 95 ટકાથી વધુ છે. તે જ સમયે, પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ એન્ટિબોડીઝ મળી આવી છે. જાન્યુઆરીમાં કરવામાં આવેલા પ્રથમ સેરો સર્વેમાં 56 ટકાથી વધુ લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.
આ માટે ટૂંક સમયમાં સીરો સર્વે કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયરસના યોગ્ય પ્રકારને શોધવા માટે ફરીથી એક નવો સર્વે શરૂ થશે. ગયા અઠવાડિયે, ICMR તરફથી સર્વે કરવા માટે સૂચનાઓ પણ મળી હતી. પાંચમા સીરો સર્વેમાં 56 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. પરંતુ આ પછી દિલ્હીમાં કોરોના વાયરસની બીજી લહેર આવી. બીજી લહેરમાં દિલ્હીમાં રેકોર્ડ કેસ નોંધાયા હતા.
સીરો સર્વે સેરોલોજી ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટેસ્ટમાં વ્યક્તિના શરીરમાં ચોક્કસ સંક્ર્મણ સામે બનેલા એન્ટિબોડીઝની હાજરી શોધી કાઢવામાં આવે છે. આ ટેસ્ટમાં તે જોવામાં આવે છે કે શું વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિએ ઇન્ફેક્શનને પ્રતિક્રિયા આપી છે. માનવ શરીરમાં બે પ્રકારના એન્ટિબોડીઝ હોય છે.
આમાં IgM અને IgG નો સમાવેશ થાય છે. આ બંને ચેપ સામે કામ કરે છે. IgG એન્ટિબોડીઝ લાંબા સમય સુધી શરીરમાં રહે છે. સીરો સર્વે બે બાબતો દર્શાવે છે. પ્રથમ, વસ્તીના કેટલા ટકા લોકો વાયરસથી પ્રભાવિત થયા છે. બીજી બાજુ, કયા ગ્રુપમાં વાયરસના વધુ લક્ષણો છે?
દિલ્હીમાં કોરોના વાયરસ ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના સંક્ર્મણના 42 નવા કેસ નોંધાયા હતા અને સંક્ર્મણનો દર 0.07 ટકા નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈ મૃત્યુ થયું નથી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી સામે આવી છે.
ઓક્ટોબરમાં દિલ્હીમાં કોવિડથી અત્યાર સુધીમાં માત્ર ચાર દર્દીઓના મોત થયા છે. ગયા મહિને રોગચાળાને કારણે પાંચ દર્દીઓના મોત થયા હતા. બુલેટિન મુજબ, 24 કલાકમાં 45 લોકોએ કોરોનાને હરાવ્યો છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 14,39,751 કેસ નોંધાયા છે. તેમાંથી 14.14 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે મહામારીને કારણે અત્યાર સુધીમાં 25,091 દર્દીઓના મોત થયા છે અને હાલમાં 345 દર્દીઓ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો : Facebook Name Change: ફેસબુકે બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે
આ પણ વાંચો : Ahmedabad: લો બોલો! હોંશેહોંશે શરુ કરેલું સી-પ્લેન બંધ, હેલિપેડ બનાવવા અને 2 નવા સી-પ્લેન ખરીદવાની તૈયારીઓ!