સૈન્યની કેન્ટીનમાં વિદેશી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ, દેશની સેનાની 4 હજાર કેન્ટીનમાં લાગુ પડશે
પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકવાની અપીલ કરવામાં આવી હતી. જે માટે વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનને વેગ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્ય કેન્ટીનમાં આયાત કરેલી ચીજ-વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે સરકારી કેન્ટીનમાં વિદેશી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ […]
પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકવાની અપીલ કરવામાં આવી હતી. જે માટે વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનને વેગ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્ય કેન્ટીનમાં આયાત કરેલી ચીજ-વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે સરકારી કેન્ટીનમાં વિદેશી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય દેશની સેનાની 4 હજાર કેન્ટીનમાં લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે સૈન્ય કેન્ટીનમાં અત્યારસુધી દારુ, ઇલેકટ્રીક ઉપકરણો અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ હવે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના સરકારના નિર્ણયથી આ વસ્તુઓના વેચાણ પર રોક લગાવવામાં આવી છે.