AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIના રિપોર્ટમાં ખુલાસો : GSTમાં રાહત મળતા હવે મોંઘવારીથી છુટકારો મળશે

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ, અંદાજ લગાવ્યો છે કે, GST માં વેરા ઘટાડા બાદ લોકોને પણ મોંઘવારીથી રાહત મળી શકે છે. દેશમાં નવા GST દર આગામી 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

SBIના રિપોર્ટમાં ખુલાસો : GSTમાં રાહત મળતા હવે મોંઘવારીથી છુટકારો મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2025 | 3:49 PM
Share

GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, નાણા પ્રધાન નિર્મલા સિતારમણે GST દરમાં મોટો ફેરફાર જાહેર કર્યાં છે, જીએસટીના વેરામાં ફેરફારને કારણે, રોજબરોજના વપરાશ ઉપરાંત સામાન્ય ઘરગથ્થુ વસ્તુઓ અને સેવાઓ પરનો કર ઓછો થશે. આનાથી આગામી નાણાકીય વર્ષ (2025-26) માં છૂટક ફુગાવો 0.65 થી 0.75 ટકા સુધી ઘટી શકે છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, નવા GST નિયમો લાગુ થયા પછી દેશમાં ફુગાવો ઘટશે.

GST કાઉન્સિલની 56મી બેઠકમાં, જૂના ચાર-સ્તરીય કર માળખા (5%, 12%, 18%, 28%) ને દૂર કરવામાં આવ્યા હતા અને માત્ર દ્વિ સ્તરીય કર માળખા (5% અને 18%) ને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, કેટલીક લક્ઝરી વસ્તુઓ અને સેવાઓ માટે 40% નો વિશેષ સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે, જેના હેઠળ ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ છે અને કેટલીક કરમુક્ત થઈ ગઈ છે.

નવા દરો ક્યારે લાગુ થશે?

તમાકુ અને સંબંધિત ઉત્પાદનોને બાદ કરતાં નવા કર દરો, આગામી 22 સપ્ટેમ્બર 2025 થી લાગુ થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 453 માલના GST દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમાંથી 413 માલ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જ્યારે માત્ર 40 માલ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. લગભગ 295 આવશ્યક માલ પર GST 12 % થી ઘટાડીને 5 % અથવા 0% કરવામાં આવ્યો છે. આના કારણે, ગ્રાહકોને ખાસ કરીને ખાદ્ય ચીજો પર 60% લાભ મળશે, જેના કારણે ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવો 0.25% થી 0.30% સુધી ઘટાડી શકાય છે.

છૂટક ફુગાવા પર શું અસર પડશે?

SBI સંશોધન અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત, સેવાઓ પર GST દરોને તર્કસંગત બનાવવાથી અન્ય માલ અને સેવાઓ પર છૂટક ફુગાવામાં 0.40 થી 0.45 ટકાનો ઘટાડો થશે. આમાં, ગ્રાહકોને 50 ટકાનો લાભ મળવાનો અંદાજ છે. રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન એકંદરે છૂટક ફુગાવો 0.65 થી 0.75 ટકા ઘટી શકે છે.

GSTનો સરેરાશ દર કેટલો છે?

GST કાઉન્સિલના દર તર્કસંગતકરણને કારણે સપ્ટેમ્બર 2019 માં સરેરાશ GST દર 14.4% થી ઘટીને 11.6% થયો હતો. હવે નવા ફેરફારો પછી, તેને વધુ ઘટાડીને 9.5% કરી શકાય છે. નવા GST નિયમો આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવશે, જેનાથી ફુગાવો ઘટશે અને સામાન્ય લોકોને ફાયદો થશે.

GST ને લગતા તમામ મહત્વના  સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો. 

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">