AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના કપરા સમયમાં સાઉદી અરેબિયાએ આપ્યો સાથ, અદાણી ગૃપના સહયોગથી ભારત આવશે 80 મેટ્રિક ટન ઓક્સિજન

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વિનાશની જેમ આવી છે. જેના કારણે ભારતમાં ઓક્સિજનની ભારે અછત છે. ઘણી જગ્યાએ ઓક્સિજનના અભાવે દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

કોરોનાના કપરા સમયમાં સાઉદી અરેબિયાએ આપ્યો સાથ, અદાણી ગૃપના સહયોગથી ભારત આવશે 80 મેટ્રિક ટન ઓક્સિજન
Oxygen
| Updated on: Apr 26, 2021 | 3:23 PM
Share

ભારતની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની તીવ્ર તંગી જોવા મળી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રેકોર્ડ સંખ્યામાં કોરોના કેસ સામે આવ્યા છે. ઘણી જગ્યાએ ઓક્સિજનના અભાવે દર્દીઓનાં મોત નીપજ્યાં છે. સાઉદી અરેબિયાએ આ મુશ્કેલ સમયમાં ભારતને સમર્થન આપ્યું છે અને હવે ત્યાંથી 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન ભારત લાવવામાં આવી રહ્યું છે.

ભારતમાં કોરોના કેસની સંખ્યા વધીને 1,69,60,172 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા 1,92,311 છે. અદાણી ગ્રૂપ અને લિન્ડે કંપનીના સહયોગથી આ ઓક્સિજન જહાજ ભારત આવવા રવાના થયું છે. રિયાધમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું છે કે, ભારતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 80 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન મોકલવામાં અદાણી ગ્રુપ અને મેસર્સ લિન્ડે વચ્ચેના સહયોગ પર ભારતીય દૂતાવાસને ગર્વ છે. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયની તેમની સહાયતા, સપોર્ટ અને સહયોગ માટે હાર્દિક આભાર.

ગૌતમ અદાણીએ કહ્યું કે, આભાર ભારતીય દૂતાવાસ. અમે હાલમાં સમગ્ર વિશ્વમાંથી ઓક્સિજનનો પુરવઠો સુરક્ષિત કરવા મિશન પર છીએ. 80 ટન પ્રવાહી ઓક્સિજનવાળી 4 આઇએસઓ ક્રેઓજેનિક ટેંક પ્રથમ શિપમેન્ટ છે, જે હાલમાં દમ્મામથી મુન્દ્રા જઈ રહી છે. ભારત ઓક્સિજનના અભાવને પહોંચી વળવા Operation Maitri તરફ આગળ વધી રહ્યું છે. જે અંતર્ગત ઘણા દેશોમાંથી ઓક્સિજન કન્ટેનર ખરીદવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પોલીસકર્મીઓ માટે તૈયાર કરાયો 12 બેડનો આઇસોલેશન રૂમ 

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">