નુપુર શર્મા પર એક્શન બાદ સંજય રાઉતનો કટાક્ષ- પયગંબર પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવી પડી, ભાજપને કારણે આવી સ્થિતિ થઈ

સંજય રાઉતે ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલની કાર્યવાહીને પયગંબર મોહમ્મદ પર આપવામાં આવેલા વાંધાજનક નિવેદનને મજબૂરી ગણાવી છે અને આ ઘટનાને શરમજનક ગણાવી.

નુપુર શર્મા પર એક્શન બાદ સંજય રાઉતનો કટાક્ષ- પયગંબર પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવી પડી, ભાજપને કારણે આવી સ્થિતિ થઈ
Shiv Sena MP Sanjay Raut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 2:48 PM

શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આજે (6 જૂન, સોમવાર) અયોધ્યામાં પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલની કાર્યવાહીને પયગંબર મોહમ્મદ પર આપવામાં આવેલા વાંધાજનક નિવેદનને મજબૂરી ગણાવી છે અને આ ઘટનાને શરમજનક ગણાવીને કહ્યું છે કે આજે ભાજપનો એવો નિયમ આવી ગયો છે કે ભારતમાં ખાડી દેશોની માફી માંગે છે. આ સિવાય સંજય રાઉતે જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હત્યાને લઈને પણ કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં ઘાટીમાં 27 કાશ્મીરી પંડિત અને 17 મુસ્લિમ અધિકારીઓ માર્યા ગયા છે.

નૂપુર શર્માએ ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર વાંધાજનક નિવેદન આપ્યું હતું. બીજેપીના દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન જિંદાલે પણ આવું જ કર્યું. આ પછી નુપુર શર્માને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને નવીન જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

નૂપુર શર્માએ પણ રવિવારે સ્પષ્ટતા કરી હતી કે તે તમામ ધર્મોના આદરણીય લોકોનું સન્માન કરે છે. નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરૂદ્ધ કાર્યવાહી કરતા પહેલા ભાજપે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ભાજપ એવા કોઈ વિચારને સ્વીકારતું નથી, જેનાથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે. આ અંગે સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ખાડી દેશ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ભાજપે માફી માંગવી પડશે

સંજય રાઉતે કહ્યું, આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે. ઘણા ગલ્ફ દેશોએ ભારતીય રાજદૂતોને બોલાવીને પોતાની નારાજગી નોંધાવી છે. પયગંબર મોહમ્મદ પર ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનનું કોઈ સમર્થન કરી શકે નહીં. ભાજપે આ મામલે દેશ સહિત તમામ ખાડી દેશોની માફી માંગવી પડશે.

છેલ્લા 3 મહિનામાં 27 કાશ્મીરી પંડિતો અને 17 મુસ્લિમ અધિકારીઓની હત્યા

સંજય રાઉતે કહ્યું, આતંકવાદીઓ દિવસેને દિવસે કાશ્મીરી પંડિતોની હત્યા કરી રહ્યા છે. શું આ નાની ઘટના છે? મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કાશ્મીરી પંડિતોને મદદ કરવાની વાત કરી છે. ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ અત્યાર સુધી કહ્યું હોત તો પણ સારી વાત હોત. છેલ્લા ત્રણ મહિનામાં 27 કાશ્મીરી પંડિતો માર્યા ગયા છે અને 17 મુસ્લિમ અધિકારીઓ પણ માર્યા ગયા છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">