AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બલિદાન દિવસ : બાપુની હત્યાનું કાવતરું પહેલા જ ઘડાઈ ગયું હતુ, જાણો કોણ કોણ હતુ તેમાં સામેલ

ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે એ જ સમયે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ટોળાએ તેના માથા પર લાકડીઓ પણ મારીને ઘાયલ કરી દીધો. તે બાદ પણ ગોડસે કહેતો હતો, 'મારે જે કરવું હતું તે કરી દીધુ.

બલિદાન દિવસ : બાપુની હત્યાનું કાવતરું પહેલા જ ઘડાઈ ગયું હતુ, જાણો કોણ કોણ હતુ તેમાં સામેલ
Sacrifice Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 10:58 AM
Share

જાન્યુઆરી મહિનાએ દેશને મોટો ઘા આપ્યો છે. હકીકતમાં, 30 જાન્યુઆરી, 1948 ની સાંજે, નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ દિવસને ઇતિહાસના સૌથી દુ:ખદ દિવસોમાંનો એક માનવામાં આવે છે. અહિંસાને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવીને અંગ્રેજોને દેશની બહાર જવાનો રસ્તો દેખાડનાર મહાત્મા ગાંધી 1948માં આજના દિવસે પોતે જ હિંસાનો ભોગ બન્યા હતા.

તે દિવસે પણ તે રાબેતા મુજબ સાંજની પ્રાર્થના માટે જતા હતા. તે જ સમયે ગોડસેએ તેમને ખૂબ નજીકથી ગોળી મારી અને સાબરમતીના સંતે હે રામ કહીને દુનિયા છોડી દીધી.

કેમ ઉજવાય છે બલિદાન દિવસ?

30 જાન્યુઆરી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતીથી છે. જેને બલિદાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આજે મહાત્માને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી જેની યાદમાં આજે બલિદાન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગાંધીજીની હત્યા કેવી રીતે કરવામાં આવી હતી. અને આ હત્યાના કાવતરામાં કોણ કોણ સામેલ હતુ તે આપણે જાણીશું.

કેવી રીતે કરાઈ ગાંધીજીની હત્યા?

30 જાન્યુઆરી 1948. મહાત્મા ગાંધી બિરલા હાઉસ ખાતેના તેમના રૂમમાં સરદાર પટેલ સાથે ચર્ચા કરી રહ્યા હતા. વાતચીત ગંભીર હતી. સાંજે 5.10 વાગ્યે વાતચીત સમાપ્ત થઈ. આ એ દિવસ હતો જ્યારે ગાંધીજીને પ્રાર્થનાસભામાં પહોંચવામાં મોડું થયું હતું. ગાંધીજી નીચે પડ્યા. તેના ઘામાંથી લોહી ઝડપથી વહી રહ્યું હતું. નાસભાગમાં તેમના ચશ્મા અને ખાદૂન ક્યાં વેરવિખેર થઈ ગયા તે ખબર નથી. ગાંધીજીને ઝડપથી રૂમમાં લાવવામાં આવ્યા, પરંતુ તેઓ પહેલા જ ગુજરી ચૂક્યા હતા. તેમના મૃતદેહને સાદડી પર રાખવામાં આવ્યો હતો. આજુબાજુ ભીડ એકઠી થઈ ગઈ હતી. રાત આંસુમાં વીતી ગઈ. ગોળી માર્યા બાદ ગાંધીજી જ્યાં પડ્યા હતા ત્યાંથી લોકોએ માટી ઉપાડવાનું શરૂ કર્યું. એક ખાડો હતો. થોડા સમય પછી એક ગાર્ડ પણ ત્યાં તૈનાત થઈ ગયો. ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે એ જ સમયે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ટોળાએ તેના માથા પર લાકડીઓ પણ મારીને ઘાયલ કરી દીધો. તે બાદ પણ ગોડસે કહેતો હતો, ‘મારે જે કરવું હતું તે કરી દીધુ.

પહેલા જ ઘડવામાં આવ્યું હતુ કાવતરું

30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. પરંતુ તેનું ષડયંત્ર આઝાદીના થોડા મહિના પછી શરૂ થયું. ગાંધીજીની હત્યાની તારીખ 20 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. પણ તે દિવસે હત્યા સફળ રહી ન હતી.

ગાંધીની હત્યાના કાવતરામાં આ લોકો હતા સામેલ

10 ફેબ્રુઆરી 1949ના રોજ લાલ કિલ્લામાં ચાલી રહેલ અદાલતે ગાંધીજીની હત્યા પર ચુકાદો આપ્યો હતો. હત્યાના કાવતરામાં ગોડસે સિવાય પણ અન્ય 9 લોકો સામેલ હતા. આ હત્યામાં નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે, ​​ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે, મદનલાલ પાહવા, દત્તાત્રેય પરચુરે, દિગંબર બેજ અને તેમના સેવક શંકર કિસ્તૈયા હતા. વિનાયક દામોદર સાવરકર પણ આરોપી હતા. જજ આત્માચરણે તેમાંથી આઠ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">