Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત, યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં રાજકીય સમર્થન આપવા વિનંતી કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને રશિયન હુમલા અંગે માહિતી આપી છે. તેમણે સુરક્ષા પરિષદમાં રાજકીય સમર્થન માટે વિનંતી કરી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત, યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં રાજકીય સમર્થન આપવા વિનંતી કરી
Vladimir Zelensky - President of Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 8:01 PM

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે વાત કરી છે અને રશિયન હુમલા અંગે માહિતી આપી છે. તેમણે સુરક્ષા પરિષદમાં રાજકીય સમર્થન માટે વિનંતી કરી છે. રશિયન સેનાએ શનિવારે યુક્રેનની રાજધાની કિવમાં ઘૂસીને અનેક હુમલાઓ કર્યા છે. વિસ્ફોટો અને ગોળીબારના અવાજોથી દહેશતમાં કિવનું ભાવિ અધ્ધરતાલ છે. ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે હાકલ કરી અને તેમના ચેતવણી આપી કે દેશના ઘણા શહેરોમાં હુમલા કરવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું છે કે રશિયા સામે યુદ્ધ ચાલુ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ટ્વીટ કરીને કહ્યું, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. એક લાખથી વધુ આક્રમણકારો અમારી ધરતી પર પહોંચી ગયા છે. તેઓ રહેણાંક મકાનો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. અમે પીએમ મોદીને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અમને રાજકીય સમર્થન આપવા વિનંતી કરી છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે હુમલાખોરને સાથે મળીને રોકે!

https://twitter.com/ZelenskyyUa/status/1497555947023224836

Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
SRHની માલકિન કાવ્યા મારન 'AI' ને કેટલો પગાર આપે છે?
Jioનો શાનદાર પ્લાન ! માત્ર 51 રુપિયામાં અનલિમિટેડ 5G ડેટાનો લાભ
આ 6 પ્રકારની રોટલી છે સ્વાસ્થ્ય માટે વરદાન, આપે છે અદ્ભુત ફાયદા
LSGને હરાવ્યા પછી આશુતોષ શર્માને કેટલા પૈસા મળ્યા?
Amitabh Bachchan Salary : KBC માંથી અમિતાભ બચ્ચન કેટલા રૂપિયા કમાય છે ?

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ નરેન્દ્ર મોદીએ ચાલી રહેલા સંઘર્ષને કારણે જાનમાલના નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે હિંસાનો તાત્કાલિક અંત લાવવા અને સંવાદનો માર્ગ અપનાવવા માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિ પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવાની ભારતની ઈચ્છા દર્શાવી. પીએમ મોદીએ યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ભારતની ઊંડી ચિંતા પણ વ્યક્ત કરી હતી.

તેમણે ભારતીય નાગરિકોના ઝડપી અને સુરક્ષિત સ્થળાંતર માટે યુક્રેનિયન સત્તાવાળાઓ દ્વારા સુવિધાની માગ કરી હતી. યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રી વિક્ટર લ્યાશકોનું કહેવું છે કે રશિયન હુમલામાં 198 લોકો માર્યા ગયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.

તેમના નિવેદનથી એ સ્પષ્ટ નથી થયું કે માર્યા ગયેલાઓમાં કેટલા સૈનિકો અને નાગરિકો હતા. ગુરુવારે હવાઈ અને મિસાઈલ હુમલા અને ઉત્તર, પૂર્વ અને દક્ષિણથી યુક્રેનમાં સૈનિકોના અભિયાન સાથે શરૂ થયેલા રશિયન આક્રમણમાં 33 બાળકો સહિત 1,115 લોકો ઘાયલ થયા હતા.

રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના 821 સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે

રશિયાની સેનાનું કહેવું છે કે તેણે ક્રુઝ મિસાઈલ વડે યુક્રેનના સૈન્ય મથકો પર હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે સેનાએ લાંબા અંતરની કાલિબ્ર ક્રુઝ મિસાઇલો વડે યુક્રેનના કેટલાંક લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો હતો. રશિયાના આક્રમણની શરૂઆતથી, સૈન્યએ યુક્રેનમાં 821 લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં 14 હવાઈ મથકો અને 19 લશ્કરી કમાન્ડ સેન્ટરનો સમાવેશ થાય છે.

આ સાથે 24 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, 48 રડાર, સાત યુદ્ધ વિમાન, સાત હેલિકોપ્ટર, નવ ડ્રોન, 87 ટેન્ક અને આઠ સૈન્ય જહાજોનો નાશ કરવામાં આવ્યો છે. કોનાશેનકોવે જણાવ્યું ન હતું કે કેટલા યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા અને રશિયન બાજુએ કોઈ જાનહાનિનો ઉલ્લેખ કર્યો ન હતો.

યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે તેની સેનાએ હજારો રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. બંનેમાંથી કોઈ એક દેશના દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. કોનાશેનકોવે દાવો કર્યો હતો કે રશિયન દળોએ એઝોવ સમુદ્ર કિનારેથી લગભગ 35 કિલોમીટર દૂર દક્ષિણી શહેર મેલિટોપોલ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને કહ્યું કે રશિયન સમર્થિત અલગતાવાદીઓએ ડોનબાસના પૂર્વ વિસ્તારમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

આ પણ વાંચો : Ukraine Russia War: યુક્રેનથી રેસ્કયુ કરાયેલા 219 ભારતીયો સાથેની પ્રથમ ફ્લાઈટ રોમાનિયાથી મુંબઈ માટે રવાના

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">