કિરણ રિજિજૂના નિવેદન પર કપિલ સિબ્બલે કર્યો કટાક્ષ, કહ્યું ‘કેટલાક નેતાઓ ખબર નહીં શું કહે છે..
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો ભારત વિરોધી ગેંગનો હિસ્સો બની ગયા છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે હવે રિજિજૂના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂના નિવૃત્ત ન્યાયાધીશો અંગેના નિવેદન પર હંગામો થયો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે ટ્વીટ કરીને રિજિજૂ પર કટાક્ષ કર્યો છે. કપિલ સિબ્બલે કહ્યું છે કે રિજિજૂએ કહ્યું કે કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો ‘ભારત વિરોધી ગેંગ’નો ભાગ છે. આ અંગે મારો પ્રતિભાવ એ છે કે સરકારમાં કેટલાક રાજકારણીઓ ‘ખબર નહીં શું કહે છે તે ગેંગ’નો ભાગ છે.
કપિલ સિબ્બલે આપી પ્રતિક્રિયા
એક ખાનગી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે, “કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને કેટલાક કાર્યકર્તાઓ, જેઓ ભારત વિરોધી ગેંગનો હિસ્સો બની ગયા છે, તેઓ ભારતીય ન્યાયતંત્રને વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યા છે.” તેમણે કહ્યું, “એક જ ઇકોસિસ્ટમ ભારતની અંદર અને બહાર કામ કરી રહી છે. અમે આ ‘ટુકડે-ટુકડે ગેંગ’ને અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વને નષ્ટ કરવા નહીં દઈએ.
Rijiju :A few retired judges are part of an "anti-India gang"
My response :A few politicians in government are part of "the know not what they say gang"
— Kapil Sibal (@KapilSibal) March 19, 2023
આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે – રિજિજૂ
રિજિજૂએ કહ્યું, કેટલાક લોકો કોર્ટમાં પણ જાય છે અને કહે છે કે કૃપા કરીને સરકાર પર લગામ લગાવો, કૃપા કરીને સરકારની નીતિ બદલો. આ લોકો ઇચ્છે છે કે ન્યાયતંત્ર વિરોધ પક્ષની ભૂમિકા ભજવે, જે શક્ય નથી. ન્યાયતંત્ર તટસ્થ છે.” તેમણે કહ્યું, ન્યાયાધીશ ન તો કોઈ જૂથનો ભાગ છે, ન તો તે કોઈ જૂથ સાથે કોઈ રાજકીય જોડાણ ધરાવે છે. આ લોકો ખુલ્લેઆમ કેવી રીતે કહી શકે કે ભારતીય ન્યાયતંત્રએ સરકાર સાથે રૂબરૂ હોવું જોઈએ. આ કેવો પ્રચાર છે. રિજિજૂએ કહ્યું કે આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઈ છટકી શકશે નહીં.
કોલેજિયમ પ્રણાલીની ટીકા
રિજિજૂએ ફરી એકવાર ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત કોલેજિયમ પ્રણાલીની ટીકા કરી અને કહ્યું, “આ માત્ર કોંગ્રેસ પાર્ટીની ભૂલોને કારણે થયું અને બાદમાં સુપ્રીમ કોર્ટે એવી રીતે કામ કરવાનું શરૂ કર્યું જેને કેટલાક લોકોએ ન્યાયિક અતિક્રમણ તરીકે ઓળખાવ્યું.” તે પછી કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવી સિસ્ટમ લાગુ નહીં થાય ત્યાં સુધી અમે કોલેજિયમ સિસ્ટમનું પાલન કરીશું, પરંતુ ન્યાયિક આદેશ દ્વારા ન્યાયાધીશોની નિમણૂક કરી શકાતી નથી. તે કેવળ વહીવટી (નિર્ણય) છે.