AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવામાં RSS કો-ઓર્ડિનેશન બેઠક, BJP-ABVPના નેતાઓ પણ હાજરી આપશે

ગયા સપ્ટેમ્બરમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સંઘની મુખ્ય અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઈ હતી. હવે છત્તીસગઢની બેઠકની સમીક્ષા તરીકે 5 થી 6 જાન્યુઆરી વચ્ચે ગોવામાં બેઠક યોજાઈ રહી છે.

ગોવામાં RSS કો-ઓર્ડિનેશન બેઠક, BJP-ABVPના નેતાઓ પણ હાજરી આપશે
RSS coordination meeting in Goa (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2022 | 6:49 AM
Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ગોવામાં એક સંકલન બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ બેઠક 5-6 જાન્યુઆરી વચ્ચે યોજાશે, જેમાં સંગઠનના પદાધિકારીઓ, સંલગ્ન સંગઠનો અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. આરએસએસ આ વર્ષે સપ્ટેમ્બરમાં રાયપુરમાં આયોજિત અખિલ ભારતીય કાર્યકારી બેઠકમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા પણ કરશે.

આ બેઠકમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, સરકારવાહ દત્તાત્રેય હોસાબલે, વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના મહાસચિવ મિલિંદ પરાંડે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એવીબીપી)ના રાષ્ટ્રીય સંગઠન સચિવ આશિષ ચૌહાણ, બી સુરેન્દ્રન અને સંઘના અખિલ ભારતીય પદાધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ પણ હાજરી આપશે. આ ઉપરાંત વિદ્યા ભારતી, ભારતીય કિસાન સંઘ અને અન્ય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ પણ સંકલન બેઠકમાં ભાગ લેશે.

ભાગવત 2 થી 7 જાન્યુઆરી સુધી ગોવામાં રહેશે

આરએસએસના જણાવ્યા અનુસાર, સરસંઘચાલક મોહન ભાગવત 2 થી 7 જાન્યુઆરી સુધી ગોવામાં રહેશે. RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા સપ્ટેમ્બરમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સંઘની મુખ્ય અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઈ હતી. હવે છત્તીસગઢની બેઠકની સમીક્ષા તરીકે 5 થી 6 જાન્યુઆરી વચ્ચે ગોવામાં બેઠક યોજાઈ રહી છે.

રાયપુરમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી

સપ્ટેમ્બરમાં છત્તીસગઢના રાયપુરમાં આયોજિત ત્રણ દિવસીય કો-ઓર્ડિનેશન બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જીડીપીને બદલે રોજગારલક્ષી સમાવિષ્ટ ન્યુ ઈકોનોમિક ઈન્ડિયા ઈન્ડેક્સની તૈયારી, જૈવિક ખેતીને પ્રોત્સાહન, કૃષિ શિક્ષણમાં ફેરફાર તેમજ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં હિન્દુત્વને લગતા અભ્યાસક્રમો તૈયાર કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ સાથે અદાલતોની કાર્યવાહી અને નિર્ણયોમાં ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">