AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમ્મુમાં RSSના વડા મોહન ભાગવતે કહ્યું, એ દિવસ ખૂબ નજીક છે, જ્યારે કાશ્મીરી પંડિતો પોતાના ઘરે પાછા ફરશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કાશ્મીરી પંડિતો ટૂંક સમયમાં ખીણમાં પાછા ફરવાની વાત કરી છે. ભાગવતે આશા વ્યક્ત કરી કે, કાશ્મીરી પંડિતો જેઓ 1990ના દાયકામાં આતંકવાદની શરૂઆત પછી તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા હતા, તેઓ ટૂંક સમયમાં ખીણમાં પાછા ફરશે.

જમ્મુમાં RSSના વડા મોહન ભાગવતે કહ્યું, એ દિવસ ખૂબ નજીક છે, જ્યારે કાશ્મીરી પંડિતો પોતાના ઘરે પાછા ફરશે
Mohan Bhagwat (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 2:50 PM
Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) કાશ્મીરી પંડિતો ટૂંક સમયમાં ખીણમાં પાછા ફરવાની વાત કરી છે. ભાગવતે આશા વ્યક્ત કરી કે, કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) જેઓ 1990ના દાયકામાં આતંકવાદની શરૂઆત પછી તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા હતા, તેઓ ટૂંક સમયમાં ખીણમાં પાછા ફરશે. ભાગવતે જમ્મુમાં નવરેહની ઉજવણીના છેલ્લા દિવસે વીડિયો કોન્ફરન્સ દ્વારા કાશ્મીરી હિન્દુ સમુદાયને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું, મને લાગે છે કે તે દિવસ ખૂબ નજીક છે જ્યારે કાશ્મીરી પંડિતો તેમના ઘરે પરત ફરશે અને હું ઈચ્છું છું કે તે દિવસ જલ્દી આવે.

ભાગવતે કહ્યું કે, વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ કાશ્મીરી પંડિતોની સાચી તસવીર અને 1990ના દાયકામાં કાશ્મીર ઘાટીમાંથી તેમની હિજરતને ઉજાગર કરી છે. મહત્વનું છે કે, અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર અને અન્ય કલાકારો અભિનીત વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે દેશમાં રાજકીય સ્પેક્ટ્રમમાં તીવ્ર ધ્રુવીકરણ કર્યું છે.

‘કાશ્મીરી પંડિતોએ વતન પરત ફરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ’

આરએસએસના વડાએ કહ્યું, આજે દરેક ભારતીય કાશ્મીરી પંડિતોના હિજરતના સત્ય વિશે જાણે છે. આ તે સમય છે જ્યારે કાશ્મીરી પંડિતોએ એવી રીતે તેમના ઘરે પાછા જવું પડશે કે તેઓ ભવિષ્યમાં ફરી ક્યારેય જવું ન પડે. તેમણે એમ પણ કહ્યું કે, કાશ્મીરી પંડિતોએ તેમના વતન પાછા ફરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ, જેથી પરિસ્થિતિ જલ્દી બદલાઈ શકે.

‘કાશ્મીર ફાઇલોએ લોકોને ચોંકાવી દીધા’

ભાગવતે કહ્યું, કેટલાક આ ફિલ્મના સમર્થનમાં છે, તો કેટલાક તેને અર્ધસત્ય ગણાવી રહ્યા છે. પરંતુ આ દેશના સામાન્ય લોકોનું માનવું છે કે, આ ફિલ્મે દુનિયા સમક્ષ કડવું સત્ય રજૂ કરીને લોકોને ચોંકાવી દીધા છે. તેમણે વધુમાં કહ્યું કે, કાશ્મીરી પંડિતોને ત્યાંથી જવા માટે કોઈ દબાણ કરી શકે નહીં. જો કોઈ આવું કરવાનો પ્રયાસ કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે.

તમને જણાવી દઈએ કે, સંજીવની શારદા કેન્દ્ર (SSK), જમ્મુએ 1લી એપ્રિલથી શરૂ કરીને ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આજે સમાપ્ત થશે, ‘ત્યાગ અને શૌર્ય દિવસ’ની ઉજવણી કરવા માટે ‘કાશ્મીરી સમાજ’ તરફથી તેમના વતન પાછા ફરવાની પ્રતિજ્ઞા લેવા માટે વિનંતી કરી હતી. SSK ઘણા વર્ષોથી સમુદાયના સભ્યો અને શાળાના બાળકો સાથે ‘નવરેહ, ત્યાગ અને શૌર્ય દિવસ’ ઉજવે છે, તેમજ કાશ્મીરી પંડિતોની દુર્દશાને ઉજાગર કરવા માટે સેમિનાર, નિબંધ લેખન અને પ્રશ્નોત્તરી સ્પર્ધાઓનું આયોજન કરે છે. તે ચૈત્ર (વસંત) નવરાત્રના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. કાશ્મીરી પંડિતો નવરેહ તહેવાર તેમની દેવી શારિકાને સમર્પિત કરે છે અને તહેવાર દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપે છે.

આ પણ વાંચો: દેશમાં 96 ટકા પોસ્ટ ઓફિસ સીબીએસ સાથે જોડાઈ, બેંક જેવી ઘણી સેવાઓ મળશે ઓનલાઈન

આ પણ વાંચો: Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">