વેક્સિન પર ઉઠેલા સવાલોના જવાબ, જાણો વેક્સિન લીધા પછી કેટલા લોકોને થયો કોરોના
કોરોના વેક્સિનની અસરકારતાને લઈને ઘણા લોકોના મનમાં ઘણા સવાલો થતા રહેતા હોય છે. પરંતુ જાહેર થયેલા અંક્ડા પરથી તમને એના જવાબ મળી જશે.
પ્રથમ વખત, સેન્ટ્રલ હેલ્થએ રસીકરણ પછી ચેપગ્રસ્તની સત્તાવાર માહિતી જાહેર કરી છે. આ માહીતી પ્રમાણે રસી લીધેલા10 હજારમાંથી બેથી ચાર લોકોને કોરોનાનું સંક્રરમણ થયું હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે દેશમાં કોવેક્સિનનો અત્યાર સુધીમાં 93,56,436 લોકોએ એ પ્રથમ ડોઝ લીધો હતો જેમાં 4208ને કોરોનાનું સંક્રમણ થયું. તે જ સમયે 17,37,178 માંથી 695 લોકો બીજા ડોઝ પછી કોરોના સંક્રમિત થયા હતા.
સીરમની વેક્સીનની વાત કરીએ તો 10,03,02,745 એ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો અને જેમાંથી 17,145 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તે જ સમયે 1,57,32,754 લોકોએ બીજો ડોઝ લીધો, જેમાંથી 5014 ને કોરોના વાયરસથી ચેપ લાગ્યો.
આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ, ડો. બલારામ ભાર્ગવાએ જણાવ્યું હતું કે, રસી લીધા પછી કોઈને પણ ચેપ લાગી શકે છે, પરંતુ દર્દીની હાલત ગંભીર થવાની સંભાવના ઘણી ઓછી છે.
40 ટકાથી વધુ વૃદ્ધોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો
કોરોના વાયરસ સામે રક્ષણ માટે રસીકરણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશના 40 ટકાથી વધુ વૃદ્ધોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તે જ સમયે, 87 ટકા આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ ડોઝ લીધો છે. તેમાંથી 80 ટકા લોકોએ બીજો ડોઝ લઈને આ મહામારીને ટાળી છે. આ સિવાય 79 ટકા ફ્રન્ટલાઈન કર્મચારીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે, જેમાંથી પ્રથમ ડોઝ લીધેલા ફ્રન્ટલાઈન ક્રમાંચારીઓના કુલ સંખ્યાના 81 ટકા લોકોએ બીજો ડોઝ લઈને રસી કોર્સ પૂર્ણ કર્યો છે.
જાહેર છે કે વેક્સિનની વિશ્વસનીયતા પર બહુ ઓછા છે જે સવાલ ઉભા કરતા હોય છે. સોશિયલ મીડિયામાં અને જાહેર જીવનમાં તમે પણ ક્યાંકને ક્યાંક આવા લોકોની વાતો સાંભળી હશે. પરંતુ સત્તાવાર બહાર આવેલા આંકડા એ વાતની સાબિતી છે કે વેક્સિન લીધા પછી કોરોના થવાની સંભાવના સાવ ઘટી જાય છે. તેમજ કોરોના થાય તો પણ તેને ગંભીર સ્વરૂપમાં જતા અટકે છે. અત્યાર સુધીમાં બહાર આવેલા આંકડા મુજબ વેક્સિન બાદ કોરોના થયાના આંખડા ખુબ ઓછા છે. આનાથી ચોક્કસ પણે લોકોમાં વેક્સિનને લઈને વિશ્વસનીયતા વધશે.
આ પણ વાંચો: maharashtra lock down: મહારાષ્ટ્રમાં આજથી કડક લોકડાઉનની અમલવારી, કામ વગર ઘરમાંથી નિકળ્યા તો 10 હજારનો દંડ
આ પણ વાંચો: રેલવેના પાટા પરથી બાળકનો બચાવ્યો હતો જીવ, આ વ્યક્તિને હવે જાવા ઇનામમાં આપશે મોટરસાયકલ