AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Express: રામાયણ એક્સપ્રેસમાં ‘ભગવા કપડા’ પહેરેલા વેઈટરો પર હંગામો ! સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની ચીમકી આપી

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ટ્રેનની અંદર કામ કરતા વેઈટર સંતોના પોશાકમાં જોવા મળી રહ્યા છે.જેની સામે ઉજ્જૈનમાં રહેતા સંતો (Ujjain Akhara Parishad) એ ભારે વાંધો ઉઠાવ્યો

Ramayana Express: રામાયણ એક્સપ્રેસમાં 'ભગવા કપડા' પહેરેલા વેઈટરો પર હંગામો ! સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેન રોકવાની ચીમકી આપી
Ramayana Express
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 4:02 PM
Share

Ramayana Express: તાજેતરમાં, ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેન (Ramayana Express)ને લઈને વિવાદ શરૂ થયો છે. સંતોના વેશભૂષાને લઈને વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ટ્રેનની અંદર કામ કરતા વેઈટર સંતોના પોશાકમાં જોવા મળી રહ્યા છે.જેની સામે ઉજ્જૈનમાં રહેતા સંતો (Ujjain Akhara Parishad) )એ ભારે વાંધો ઉઠાવ્યો છે. 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

અયોધ્યા, ચિત્રકૂટ સહિત ભગવાન રામ સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવેએ IRCTC દ્વારા રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી આ ટ્રેનમાં ભક્તોને ટ્રેનની અંદર જ ભોજન પીરસવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક લોકો સાધુઓના પોશાક પહેરેલા જોવા મળી રહ્યા છે, જેઓ ભોજન પીરસી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રામાયણ સર્કિટ ટ્રેનનો વીડિયો છે અને આ તમામ ટ્રેનના વેઈટર છે. જેઓ આ લુકમાં મુસાફરોને ભોજન અને પાણી પીરસી રહ્યા છે. આ વીડિયોમાં દેખાતા વેઈટર્સના ડ્રેસ પર સંતોએ સવાલ ઉઠાવ્યા છે. 

રેલવે મંત્રીને લખ્યો પત્ર 13 ડિસેમ્બરે ટ્રેન રોકવાની ચેતવણી

ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહાસચિવ અવધેશ પુરીએ વાંધો વ્યક્ત કર્યો અને કહ્યું કે વેઈટરો સંતોના વેશમાં આવી ગયા છે, જે સાધુ સમાજનું અપમાન છે. ટૂંક સમયમાં તેનો પોશાક બદલવો જોઈએ નહીં તો સંત સમાજ 12મી ડિસેમ્બરે ઉપડતી ટ્રેનનો વિરોધ કરશે અને હજારો હિન્દુઓ સાથે ટ્રેનની સામે પ્રદર્શન કરશે. અવધેશ પુરીએ કહ્યું કે વીડિયો સામે આવ્યા બાદ મેં રેલવે મંત્રીને પત્ર લખ્યો છે.

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">