Ram Rahim Parole: રામ રહીમને ચાર મહિનામાં બીજી વખત 40 દિવસની મળી પેરોલ, આજે આવી શકે છે બહાર
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની ફરી એકવાર 40 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. ગુરમીત રામ રહીમને બળાત્કાર અને હત્યાના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
પોલીસના સૂત્રોને જણાવ્યું કે, ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ પેરોલ માટેનું પેપર વર્ક હજુ બાકી છે અને રામ રહીમને 21 જાન્યુઆરી એટલે કે આજે મુક્ત કરવામાં આવશે. છેલ્લા ચાર મહિનામાં આ બીજી વખત છે જ્યારે રામ રહીમને પેરોલ આપવામાં આવી છે. અગાઉ ઓક્ટોબરમાં પણ રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવી હતી.
હરિયાણાના જેલ મંત્રી રણજીત સિંહ ચૌટાલાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, ડેરા ચીફના પરિવારે જેલ સત્તાવાળાઓને રામ રહીમને એક મહિનાની પેરોલ આપવા વિનંતી કરી હતી, પરંતુ રામ રહીમને કેટલા દિવસ માટે પેરોલ આપવામાં આવશે તે કોર્ટ અને કમિશનર નક્કી કરશે કે પેરોલ મળશે અને આ સમય દરમિયાન તે ક્યાં રહેશે.
પહેલા પણ પેરોલ પર બહાર આવ્યો હતો
આ અગાઉ, ડેરા સચ્ચા સાઉદાના પ્રમુખને હરિયાણાની પંચાયત ચૂંટણીઓ અને આદમપુર વિધાનસભાની બેઠક થયેલી ચૂંટણી દરમિયાન પણ પેરોલ મળ્યો હતો. રામ રહીમ 17મી જૂને એક મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો. રામ રહીમ પર 2017થી તેની બે શિષ્યો પર બળાત્કાર કરવાના આરોપમાં જેલની સજા કાપી રહ્યો છે.
શું છે સમગ્ર કેસ ?
ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં (Ranjeet Singh Murder Case) ગુરમીત રામ રહીમ (Ram Rahim) અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 19 વર્ષ બાદ રણજીત સિંહ હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. પંચકુલાની સ્પેશીયલ CBI કોર્ટે (Panchkula CBI Court) રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
ગુરમીત રામ રહીમને આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત કરી ન હતી. રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીતસિંહ હત્યાકેસમાં પંચકુલાની CBI સ્પેશીયલ કોર્ટમાં ત્રણેય દોષિતોની દલીલો પૂરી થઈ ગઈ હતી.
12 ઓક્ટોબર 2021ના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલની દલીલો પૂરી થઈ હતી. સાથે જ કાર્યવાહી દરમિયાન જસબીર, સબદિલ અને અવતારની દલીલો પણ પૂર્ણ થઈ છે. જે બાદ CBIની વિશેષ કોર્ટે રણજિત હત્યા કેસમાં સજાની જાહેરાત કરી છે. આ સાથે જ ડેરા સચ્ચા સૌદાના ગુરમિત રામ રહીમ પર 31 લાખ રૂપિયા અને અન્ય આરોપીઓને 50-50 હજારનો દંડ ફટકાર્યો છે.